પોલીસને કેમ મારી માહિતી આપી તેવું કહીને આધેડને બે શખ્સોએ માર માર્યો

પોલીસને કેમ મારી માહિતી આપી તેવું કહીને આધેડને બે શખ્સોએ માર માર્યો
પોલીસને કેમ મારી માહિતી આપી તેવું કહીને આધેડને બે શખ્સોએ માર માર્યો

મોરબીના રવાપર ઘૂનડા રોડ ઉપર આવેલ ઓમકાર હાઇટ્સ બ્લોક નંબર 303 માં રહેતા નીપુલભાઈ પ્રવીણભાઈ ઓઝા જાતે બ્રાહ્મણ 52 એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રઘો મેરજા રહે. રવાપર રેસીડેન્સી મોરબી અને નવીનભાઈ રહે મોરબી વાળા ની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે આરોપી રઘો મેરજાએ કેમ મારી પોલીસ પાસે માહિતી આપે છે.

તેવું કહીને તે બાબતે ફરિયાદી યુવાન સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી અને ત્યારબાદ ઢીકા પાટુ અને લાતો વડે માર માર્યો હતો તેમજ આધેડને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડ દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ પી.વી. ચાવડા ચલાવી રહ્યા છે.