દિવ્યાંગ-સીટીઝન મતદારો માટે ખાસ વ્યવસ્થા: મોબાઈલ એપ લોન્ચ

દિવ્યાંગ-સીટીઝન મતદારો માટે ખાસ વ્યવસ્થા: મોબાઈલ એપ લોન્ચ
દિવ્યાંગ-સીટીઝન મતદારો માટે ખાસ વ્યવસ્થા: મોબાઈલ એપ લોન્ચ

લોકસભા ચૂંટણીના મહાપર્વમાં દિવ્યાંગ તથા સિનિયર સીટીઝન મતદાતા જોડાય અને સરળતાથી મતદાન કરી શકે તે માટે રાજકોટ જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર પ્રભવ જોષી દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. 

જેમાં દિવ્યાંગ તથા સિનિયર સીટીઝન મતદાતાને મતદાન દિવસે કોઈ મુશ્કેલી ન પડે તે માટે મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવેલી છે. જેના માધ્યમથી દિવ્યાંગ અને સિનિયર સીટીઝન મતદાતાને જરૂરીયાત મુજબ વ્હીલચેર, મતદાન મથક સુધી પહોંચવા વાહન સેવા, સહાયક સેવા આપવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ માટે મતક્ષેત્રના મદદનીશ ચુંટણી અધિકારી સાથે અને બુથ લેવલ ઓફિસર સાથે સંકલન કરીને કામગીરી કરવામાં આવી રહી છે. વિશેષમાં આ કામગીરી માટે રાજકોટ જિલ્લા ખાતે ઙઠઉજના ખાસ નોડલ અધિકારીશ્રી તરીકે જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારીની નિમણુંક કરવામાં આવી છે.દરમિયાન જિલ્લા કલેકટર પ્રભવ જોશી આજે શાપર વેરાવળ અને ગોંડલની મૂલાકાતે દોડી ગયા હતાં.

મતદાન પર્વમાં દિવ્યાંગ મતદાતા તથા સિનિયર સીટીઝન મતદાતા જોડાય તે માટે 16મી એપ્રિલે સાંજે પાંચ કલાકે ખાસ જનજાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બાલભવનથી બહુમાળી ભવન સુધી મતદાન જાગૃતિ રેલી રાખવામાં આવી છે. જેમાં (1) છ.શા.વિરાણી બહેરા-મુંગા શાળા રાજકોટ (2) વી.ડી.પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ રાજકોટ (3) માનસિક ક્ષતિવાળા બાળકોનું ગૃહ રાજકોટ (4) શ્રી યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટની સંસ્થાના દિવ્યાંગો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. 

આ ઉપરાંત વિરાણી બહેરા-મુંગા શાળાના બાળકો દ્વારા બહુમાળી ભવન ચોક ખાતે નાટક દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ પણ કરવામાં આવશે. આ સાથે દિવ્યાંગો દ્વારા જુદા-જુદા સ્લોગનો સાથે મતદાન જાગૃતિ અંગેનો પ્રચાર પ્રસાર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર તથા એસજીવીપી નોડલ ઓફિસર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને સહનોડલ અધિકારી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી રાજકોટ ઉપસ્થિત રહેશે. 

આ કાર્યક્રમમાં દિવ્યાંગ મતદાતા અને સિનિયર સીટીઝન મતદાતા મતદાનપર્વમાં જોડાય તે માટે ચૂંટણીપંચ વતી અપીલ કરવામાં આવશે. વિશેષ વિગતો માટે હેલ્પ લાઇન નંબર: 0281-2448590 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. 

►ખર્ચના નિરીક્ષક મિશ્રા કાલે અને જનરલ ઓબ્ઝર્વર નેહાગીરી ગુરૂવારે રાજકોટ આવશે

રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી પ્રક્રીયા પર રાખશે દેખરેખ

રાજકોટ,તા.10
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થાય તે પૂર્વે જનરલ ઓબ્ઝર્વરોની પણ નિમણુંક કરી દેવામાં આવી છે જેમાં રાજકોટ બેઠકના જનરલ ઓબ્ઝર્વર તરીકે રાજસ્થાનના આઈ.એ.એસ.નેહાગીરીની નિયુકિત કરવામાં આવી છે. જેઓ આગામી તા.17ને ગુરૂવારે રાજકોટ આવી પહોચનાર છે જેઓ ચૂંટણી પ્રક્રીયા પર દેખરેખ રાખશે.અહીંએ પણ ઉલ્લેખનીય છે કે રાજકોટ લોકસભાની બેઠક માટે અગાઉ ચૂંટણી પંચ દ્વારા ખર્ચના નિરીક્ષક તરીકે માધવચંદ્ર મિશ્રાની નિમણુંક કરવામાં આવી હતી.જેઓ આવતીકાલે જ રાજકોટ આવી પહોચનાર છે. ચૂંટણીપંચ દ્વારા લોકસભાની ચૂંટણી ન્યાયી અને નિષ્પક્ષટીમે યોજાય તે માટે કમ્મર કરમ દીધી છે.હવે જનરલ ઓબ્ઝર્વર પણ નિયુકત ક્રમ દેવામાં આવી છે.