ટ્રેન હડફેટે આવી જતા ૨૨ વર્ષના યુવકનું મૃત્‍યુ

ટ્રેન હડફેટે આવી જતા ૨૨ વર્ષના યુવકનું મૃત્‍યુ
ટ્રેન હડફેટે આવી જતા ૨૨ વર્ષના યુવકનું મૃત્‍યુ

જુનાગઢ તાલુકા પોલીસ સ્‍ટેશન હેઠળના મહેતાનગરમાં રહેતા અજય નાથાભાઈ રાઠોડ ઉ. વ. ૨૨ નામનો યુવાનને મોડી રાત્રિના ટ્રેને હડફેટે લેતા તેનું માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજા થવાથી મળત્‍યુ નીપજ્‍યું હતું. આ બારામાં તાલુકા પોલીસે રમેશભાઈ રાઠોડનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 જૂનાગઢના મધુરમ વિસ્‍તારમાં આવેલ અદિતીનગરમાં રહેતા સુરેશભાઈ રણછોડભાઈ ખંભાયતા (ઉ. વ. ૪૭)એ માથાના દુખાવાની બીમારીથી કંટાળી જઈને ખાટલો ભરવાની પાટીથી ગળાફાંસો ખાઈને મોતને મીઠું કરી લેતા ગમગીની પ્રસરી ગઈ હતી