ગોડસેની મુકેલી પ્રતિમા તોડી પાડતી કોંગ્રેસ

ગોડસેની મુકેલી પ્રતિમા તોડી પાડતી કોંગ્રેસ
ગોડસેની મુકેલી પ્રતિમા તોડી પાડતી કોંગ્રેસ

જામનગરમાં જબરી ધાંધલ ધમાલ, ગાંધીજીનાં હત્યારા
પોલીસનો કાફલો ધસી ગયો, ગુનો નોંધાવાની તજવીજ

જામનગરમાં ગઈકાલે મોડીરાત્રે હિન્દુ સેનાના કાર્યકરોએ એક સ્થળે ગાંધીજીનાં હત્યારા નથુરામ ગોડસેનું પુતળું મુક્યું હતું. આજે સવારે શહેર કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકરોએ પથ્થરો મારીને ગોડસેની પ્રતિમા ધ્વસ્ત કરી નાખી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ ઘટનાને પગલે પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.જામનગરમાં ગોડસેની પ્રતિમા મુકવાની ગયા ઓગસ્ટ માસમાં હિન્દુ સેનાએ જાહેરાત કરી હતી.

જો કે સ્થાનિક સતાવાળાઓ તરફથી શહેરમાં ક્યાંય પણ ગોડસેની પ્રતિમા મુકવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આથી હિન્દુ સેનાનાં કાર્યકરોએ શહેરનાં છેવાડે આવેલા હનુમાન આશ્રમમાં નથુરામ ગોડસેનું પુતળું બેસાડી દીધું હતું અને ગોડસે અમર રહે એવા સુત્રોચ્ચાર પણ કર્યા હતા.

ગયા અઠવાડીએ હિન્દુ મહાસભાનાં કાર્યકરો અંબાલા જેલમાંથી માટી લઇ આવ્યા હતા એ સ્થળે જ ગોડસે અને નારાયણ આપટેને ફાંસીએ લટકાવવામાં આવ્યા હતા. હિન્દુ મહાસભા દ્વારા આ માટીનો ઉપયોગ કરીને ગ્વાલિયરમાં ગોડસેનું પુતળું ઉભું કરવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું છે.

Read About Weather here

દરમ્યાન આજે સવારે જામનગર શહેર કોંગ્રેસનાં પ્રમુખ દિગુભા જાડેજા અને કાર્યકરો હનુમાન આશ્રમ ધસી ગયા હતા અને પથ્થરો મારીને ગોડસેનું પુતળું તોડી નાખ્યું હતું. વિવાદ વધુ વકરે નહી એ માટે પોલીસનો મોટો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here