કિસાન સૂર્યોદય યોજના: બીજા તબક્કામાં ૨,૪૦૯ ગામના ખેડૂતોને દિવસે વીજળી અપાશે

ત્રીજી જાન્યુઆરીએ મુખ્યમંત્રી રૂપાણી ખેડૂતો માટેની મહત્વાકાંક્ષી કિસાન સૂર્યોદય યોજના હેઠળ બીજા તબક્કાનો શુભારંભ કરાવશે

ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલે કિસાન સૂર્યોદય યોજના હેઠળ બીજા તબક્કામાં રાજ્યના ૩૦ જિલ્લાના વધુ ૨,૪૦૯ ગામના ખેડૂતોને દિવસે વીજળી આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત સાથે તેઓએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ દિવસે વીજળી આપવા માટે રૂ. ૩૫૦૦ કરોડની યોજનાનો શુભારંભ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૨૪મી ઓક્ટોબરના રોજ વર્ચ્યુઅલી જૂનાગઢ ખાતેથી કરાવ્યો હતો. જેમાં પ્રાથમિક તબક્કે દાહોદ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ૧,૦૫૫ ગામડાઓને આવરી લઇ ૧ લાખ ખેડૂતોને લાભાન્વિત કરાયા છે. ધીમે ધીમે રાજ્યના તમામ ખેડૂતોને આ યોજના હેઠળ આવરી લઇને દિવસે વીજળી પૂરી પાડવાનું અમારૂ આયોજન છે. આ બીજા તબક્કામાં રાજ્યના ૩૦ જિલ્લાના ૧૫૦ તાલુકાના ૨,૪૦૯ ગામડાના અંદૃાજે ૧.૯૦૦ લાખ ખેડૂતોને આવરી લઇ દિવસે વીજળી પૂરી પાડવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત વીજ કંપનીના ૬ જિલ્લા, પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપનીના ૧૨ જિલ્લા, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ૬ જિલ્લા અને મધ્ય ગુજરાત વીજ કંપની હેઠળના ૬ જિલ્લાને આવરી લેવાશે. જેમાં ૮૮૩ ફીડરો થકી ખેડૂતોને દિૃવસે વીજળી પૂરી પાડવામાં આવશે.

આ માટે ૩૭૫ મેગા વોટ વીજળીની જરૂરિયાત ઊભી થશે તેમ ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું. ઊર્જા મંત્રી પટેલે ઉમેર્યું હતુ કે, રાજ્યમાં હાલ ૧૫૨ ગ્રુપ છે, તેમાં અડધા ગ્રુપને દિૃવસમાં અને અડધા ગ્રુપને રાતના વીજળી પૂરી પાડવામાં આવે છે. હવે આ યોજના હેઠળ સવારે ૫:૦૦ વાગ્યાથી રાત્રિના ૦૯:૦૦ કલાક દરમિયાન વીજળી આપાશે. સોલાર પાવર ફક્ત દિવસના સમયગાળા દૃરમિયાન જ ઉપલબ્ધ હોય છે. આવનાર સમયમાં સૌર ઊર્જાની ઉત્પાદૃન ક્ષમતા વધવાથી દિવસમાં પાવરની ઉપલબ્ધતા વધશે. રાજ્યમાં હાલ ૧૭.૨૫ લાખથી વધુ કૃષિ વીજ ગ્રાહકો છે. જેમને ૧૫૩ જૂથોમાં વહેંચીને ૮૪૦૦થી વધુ ૧૧ કેવીના કૃષિ ફીડરો દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવી રહૃાો છે. આ જૂથોને ૨૪ કલાકમાં ત્રણ શીટથી થ્રી ફેઝ વીજ પુરવઠો અને ૨૪ કલાક સિંગલ ફેજ વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. આ જૂથોની એવી રીતે ફેરવણી કરવામાં આવે છે કે દૃરેક જૂથને અઠવાડિયા માટે દિવસના સમયગાળામાં ત્યારબાદના અઠવાડિયા માટે રાત્રિના કલાકો દરમિયાન અને પછીના બે અઠવાડિયા માટે આંશિક દિવસ અને આંશિક રાતના કલાકો દરમિયાન વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે.

ખેડૂતોને રાત્રિ દરમિયાનના વીજ પુરવઠાના સમયે જીવ-જંતુ અને જનાવરનો ભય અને ખૂબ જ મુશ્કેલીઓ પડે છે. છેલ્લા કેટલાય વર્ષથી તેમના તરફથી દિૃવસે પાવર આપવાની રજૂઆત હતી તે પૂર્ણ થશે. આ માટે જરુરી માળખાકીય નેટવર્ક ઊભું કરવા માટે ૨૦૨૦-૨૧ના વર્ષના બજેટમાં આગામી ત્રણ વર્ષ માટે રૂ. ૩૫૦૦ કરોડની જોગવાઇની કરી છે. તેમણે ઉમેર્યુ કે ખેડૂતોને દિવસ દરમિયાન કૃષિ વીજ પુરવઠો પૂરો પાડવા માટે, આગામી સમયમાં રુપિયા ૫૨૦ કરોડના ખર્ચે ૧૧ નવા ૨૨૦ કે.વી. સબસ્ટેશન, રુપિયા ૨૪૪૪.૯૪ કરોડના ખર્ચે ૨૫૪ નવી ૨૨૦/૧૩૨/૬૬ કે. વી. લાઇન ઊભી કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ખેડૂતો માટેની મહત્વાકાંક્ષી કિસાન સૂર્યોદય યોજના હેઠળ બીજા તબક્કાનો શુભારંભ કરાવશે. તદ્અનુસાર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તા. ત્રીજી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ સોમનાથ જિલ્લાના ઉના ખાતે, પાંચમી જાન્યુઆરીના રોજ અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે, સાતમી જાન્યુઆરીના રોજ નર્મદૃા જિલ્લાના તિલકવાડા ખાતે અને નવમી જાન્યુઆરીના રોજ મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ઉપસ્થિત રહી યોજનાનો શુભારંભ કરાવશે.