અફવા ફેલાવતા ટ્વિટ નહીં રોકવામાં આવે તો થશે કડક કાર્યવાહી

ભારત સરકારની ટ્વિટરને ચેતવણી


અત્યારે ચારેતરફ ખેડૂત આંદોલન ચર્ચાનો વિષય છે. ૨ મહિનાથી પણ વધારે સમયથી ખેડૂતોએ સરકાર સામે બાંયો ચઢાવી છે. ખેડૂતોના નરસંહારવાળા ટ્વિટર હેશટેગ પર કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. સરકારે આ મુદ્દે ટ્વિટરને નોટિસ પણ મોકલી છે. નોટિસમાં સરકારે જણાવ્યું છે કે, ટ્વિટરે સરકારની વાત ન માની તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. હકીકતમાં ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહૃાા છે. ખાસ કરીને દેશની રાજધાની દિલ્હીની સરહદો પર મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા છે.

૨૬ જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન હિંસા ભડકી ઉઠી હતી. બીજી તરફ દિલ્હીની સરહદો પર સુરક્ષા પણ કડક કરી દેવામાં આવી છે. ટ્વિટર પર પણ ખેડૂત આંદોલનને લઈને લોકો પોતાના મંતવ્યો વ્યક્ત કરતા રહે છે. આ જ મુદ્દે, ટ્વિટર પર તાજેતરમાં ખેડૂતોના નરસંહાર વાળા હેશટેગ સાથે લોકો ટ્વીટ કરી રહૃાા છે. સરકારે ટ્વિટરને આ પ્રકારના એકાઉન્ટ્સ પર કાર્યવાહી કરવાના સૂચનો કર્યા છે, જેમણે આ હેશટેગ સાથે ટ્વીટ કર્યું હોય.

જો કે બાદમાં ટ્વિટરે પોતે જ આ એકાઉન્ટ્સ ફરી શરૂ કરી દૃીધા હતા. તેને જોતા કેન્દ્ર સરકાર તરફથી ટ્વિટરને નોટિસ આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે ટ્વીટરે સરકારના નિર્દેશો માનવા જ પડશે નહીં તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. સરકારે એક નોટિસમાં સુપ્રીમ કોર્ટના એક ચુકાદાનો હવાલો આપતા કહૃાું છે કે, ટ્વિટર અદાલતની જેમ ચુકાદો ન આપી શકે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારના હેશટેગની સાથે ટ્વિટર પર કન્ટેન્ટ પોસ્ટ કરવામાં આવ્યું જે તથ્યાત્મક રીતે ખોટું હતુ અને તેનો ઉદ્દેશ નફરત પેદાકરવાનો હતો.