SAURASHTRA
ફોનેટિક મુલાકાત:એક ઝલક, સબસલામતનો અહેસાસ, કોરોનાના દર્દી સાથે પરિજનોની વાતચીત
Saurashtra Kranti - 0
કોરોનાના કહેરથી લોકો ફફડી રહ્યા છે અને જ્યારે કોઇ સ્વજન કોરોનાગ્રસ્ત થાય ત્યારે ચિંતાના વાદળો તૂટી પડે તેવી સ્થિતિ પરિવારજનોમાં જોવા મળે છે, કોરોનાગ્રસ્ત દર્દી હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમની પાસે જઇ શકાતું નથી, તેમની તબિયત કેવી હશે?, તકલીફ વધુ તો નહીં હોયને?, રિકવરી સારી હશેને? આવા અનેક સવાલો પરિવારજનોને કોરીખાતા હોય છે આવા સમયે જ્યારે હોસ્પિટલના બિછાનેથી દર્દીનો...
SAURASHTRA
સુવિધા:ધોરાજીમાં પોઝિટિવ આંક 800ને પાર, લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવનમાં 100 બેડનું આઈસોલેશન સેન્ટર શરૂ કરાયું
Saurashtra Kranti - 0
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ખુબ જ વધી રહી છે. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવનો આંક 800ને પાર પહોંચી ગયો છે. જેથી ખોડલધામ સમિતિ દ્વારા લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવનમાં લોકો માટે 100 બેડ ધરાવતી કોરોના સેલ્ફ આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ધોરાજીમાં કોરોનાનો વિસ્ફોટ થતાં દર્દીઓને હોમ ક્વોરન્ટીન કરાઇ રહ્યાં છે. જેના કારણે સંકમણ વધી રહ્યું છે....
GUJARAT
તૈયારી:સી-પ્લેનની જેટીને આંબેડકર બ્રિજ પાસે ઈન્સ્ટોલ કરાઈ, દોઢ કિમીનું અંતર કાપતાં 30 મિનિટ લાગી
Saurashtra Kranti - 0
અમદાવાદથી કેવડિયા વચ્ચે શરૂ થનાર દેશની પ્રથમ સી પ્લેન સેવા માટે મરિન ટેક ઇન્ડિયા કંપનીએ પાલડી નજીક રિવરફ્રન્ટમાં 24X9 મીટરની કોંક્રીટની જેટી તૈયાર કરી છે. જેટીને બુધારે આંબેડકર બ્રિજ નજીક ઈન્સ્ટોલ કરાઈ છે. જેટીને ખેંચવા માટે મુંબઈથી વિશેષ ફિશિંગ બોટ લાવવામાં આવી હતી.
જેટીને આંબેડકર બ્રિજ સુધીનું અંતર કાપતા 30 મિનિટનો સમય લાગ્યો હતો. જો કે અત્યારે જેટીને ટેમ્પરરી ધોરણે...
Latest
કોરોના ઇન્ડિયા LIVE:એક દિવસમાં રેકોર્ડ 97,856 દર્દી વધ્યા, મહામારીને કારણે 382 ડોક્ટર્સે જીવ ગુમાવ્યા; દેશમાં અત્યારસુધીમાં 50.15 લાખ કેસ
Saurashtra Kranti - 0
શમાં કોરોના દર્દીઓનો આંકડો 51 લાખને પાર કરી ગયો છે. અત્યારસુધીમાં 51 લાખ 15 હજાર 893 લોકો સંક્રમિત થયા છે. 24 કલાકમાં રેકોર્ડ 97 હજાર 856 નવા દર્દી નોંધાયા છે. આ પહેલાં 11 સપ્ટેમ્બરે 97 હજાર 856 કેસ વધ્યા હતા.
તો આ તરફ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને જણાવ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન આખા દેશમાં અત્યારસુધીમાં 382 ડોક્ટર્સે જીવ ગુમાવ્યા છે,...
GUJARAT
ધરપકડ:ભરૂચમાં પત્નીની હત્યાના ગુનામાં ફરાર દોષિત પતિ 20 વર્ષે ઝડપાયો, નામ બદલીને બીજા લગ્ન કરી લીધા હતા
Saurashtra Kranti - 0
1992માં ભરૂચમાં ચારિત્ર્યની બાબતે શંકા રાખીને પત્નીને કેરોસીન છાંટી સળગાવી દેવાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલો પાકા કામનો કેદી વર્ષ-2000માં વચગાળાના જામીન પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો. 20 વર્ષથી ફરાર રહેલા આરોપીને વડોદરા જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડે સુરત પાસેના શેરપુરા ગામમાંથી ઝડપી પાડ્યો હતો. 20 વર્ષથી તે નામ બદલીને રહેતો હતો અને બીજી મહિલા સાથે લગ્ન...
GUJARAT
નવરાત્રિ અંગે તબીબોનો મત:ગરબાનું આયોજન ન કરવા રાજકોટના તબીબોની અપીલઃ જો ખેલૈયા પોઝિટિવ આવશે તો અમે ટ્રીટમેન્ટ નહીં કરીએ
Saurashtra Kranti - 0
નવરાત્રિ યોજાશે તો રાજકોટમાં કોરોનાનો વિસ્ફોટ થશેડોક્ટર સત્યમ વિસપરાએ જણાવ્યું હતું કે નવરાત્રિનું આયોજન ન થવું જોઈએ. જો આયોજન થશે તો દિવાળી સુધીમાં ગુજરાતમાં અને ખાસ કરીને રાજકોટમાં કોરોનાનો એક મોટો વિસ્ફોટ થશે. નવરાત્રિનું આયોજન ન થાય એ માટે સરકારે વિચારવું જોઈએ. જો કોઈ ખેલૈયા કોરોના સંક્રમિત થશે અને ટ્રીટમેન્ટ માટે આવશે તો હું તેમની ટ્રીટમેન્ટ નહીં કરૂ, કારણ...
GUJARAT
રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય:ગુજરાતમાં 21 સપ્ટેમ્બર પછી પણ ધોરણ 9થી 12 માટે સ્કૂલો નહીં ખૂલે, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહની જાહેરાત
Saurashtra Kranti - 0
કોરોના મહામારીને કારણે હાલ ગુજરાતની તમામ સ્કૂલો બંધ છે. જો કે છેલ્લા થોડા સમયથી સ્કૂલો ચાલુ કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી હતી. પરંતુ આજે મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ગુજરાતમા 21 સપ્ટેમ્બર પછી ધોરણ 9થી 12 માટે શાળાઓ નહીં ખોલવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ ભારત સરકારે અનલોક-4ની ગાઇડલાઇનમાં રાજ્યોને નિર્ણય કરવા કહ્યું હતું. જેની SOP...
Latest
સરકારી શાળામાં ખાનગી જેવી સુવિધા:ગાંધીનગરના રાજપુરની સ્કૂલમાં સ્વિમિંગ પૂલ, વિદ્યાર્થીઓને અપાય છે ફાયરિંગની ટ્રેનિંગ, નેતૃત્વક્ષમતા વધારવા દર વર્ષે યોજાય છે ચૂંટણી
Saurashtra Kranti - 0
ગુજરાતની ઘણી સરકારી સ્કૂલોમાં ખાનગી સ્કૂલો જેવી સુવિધાઓ આપવામાં આવતી હોય છે. ગુજરાતની આદર્શ શાળાની શ્રેણીમાં આજે અમે ગાંધીનગરના રાજપુરમાં આવેલી સરકારી સ્કૂલ અંગે વાત કરી રહ્યા છીએ. અમદાવાદ શહેરથી 50 કિ.મી. દૂર આવેલા રાજપુર ગામની એક સરકારી સ્કૂલમાં અદ્યતન સુવિધાઓની સાથોસાથ અનેકવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે, જે વિદ્યાર્થીનું ભણતરની સાથે ઘડતર કરવામાં મદદરૂપ થાય છે. આ સ્કૂલમાં...
Sports
बेन स्टोक्स के आईपीएल 2020 में उनके बीमार पिता के कारण संदेह में भागीदारी
Saurashtra Kranti - 0
बेन स्टोक्स अभी भी अपने परिवार के साथ राजस्थान रॉयल्स (आरआर) के मुख्य कोच और पूर्व ऑस्ट्रेलियाई क्रिकेटर एंड्रयू मैकडॉनल्ड के रूप में अपने परिवार के साथ हैं और कहा कि फ्रेंचाइज़ी को इंडियन प्रीमियर लीग के 13 वें संस्करण के लिए इंग्लैंड के स्टार ऑलराउंडर की उपलब्धता पर अभी भी संदेह है।
चेन्नई सुपर किंग्स के सुरेश रैना और...
Latest
ચીન સીમા વિવાદ પર સંસદમાં રક્ષા મંત્રી:રાજનાથે કહ્યું- ચીને LAC અને તેના વિસ્તારમાં મોટા પ્રમાણમાં સેના અને ગારૂગોળો જમા કર્યો, આપણી સેના પણ તૈયાર
Saurashtra Kranti - 0
કોરોના વચ્ચે સંસદના પ્રથમ સત્ર (મોન્સૂન)નો આજે બીજો દિવસ છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ ચીન સાથેના સરહદ વિવાદ મુદ્દે આજે લોકસભામાં નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર દેશવાસીઓ પોતાના વીર જવાનો સાથે છે. મેં લદાખ જઈને આપણા શૂરવીરો સાથે સમય વિતાવ્યો છે અને તમને એ જણાવવા માગું છું કે મેં તેમનાં સાહસ અને શૌર્યને અનુભવ્યાં છે. કર્નલ અને...