દિલ્હીમાં ફરી એકવાર ભીષણ આગની ઘટના સામે આવી છે. બહારી દિલ્હીના પ્રેમનગરમાં એક મકાનમાં આગ લાગવાથી ચાર લોકોના મોત થયા છે. ધુમાડામાં ગૂંગળામણના કારણે પતિ-પત્ની અને તેમના બે પુત્રોએ જીવ ગુમાવ્યા હતા. ઇન્વર્ટરથી લાગેલી આગ અન્ય વસ્તુઓમાં ફેલાઈ હતી અને ધુમાડાના કારણે સમગ્ર પરિવારનો શ્વાસ રૂંધાઈ ગયા હતા.
આ ઘટના મંગળવારે વહેલી સવારે બની હતી. સાડા ત્રણ વાગ્યે પ્રેમ નગરના એક મકાનમાં આગ લાગી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આગ પહેલા માળે રાખવામાં આવેલા ઇન્વર્ટરમાં લાગી હતી અને પછી આગની જવાળાઓ સોફા સુધી પહોંચી હતી. આગ ફેલાઈ જતાં ઉપરના માળે ધુમાડો ભરાઈ ગયો હતો. ઉપરના માળે સૂતો આખો પરિવાર મૃત્યુ પામ્યો.
મૃતકોની ઓળખ હીરા સિંહ (૪૮), તેની પત્ની નીતુ સિંહ, પુત્રો રોબિન સિંહ (૨૨) અને લક્ષ્ય (૨૧) તરીકે થઈ છે. દિલ્હી ફાયર સર્વિસ તરફથી મળેલી માહિતી અનુસાર આગ પ્રેમ નગરના ઝેડ બ્લોકમાંથી લાગી હતી. ફાયર બ્રિગેડની બે ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ફાયર ફાઈટરોએ ઘરમાં ફસાયેલા લોકોને બચાવીને હોસ્પિટલ લઈ ગયા. પરંતુ ત્યાં ચારેય લોકોને મૃત જાહેર કરાયા હતા.
Visit Saurashtra Kranti E-paper here