31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત પર આવશે

31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત પર આવશે
31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત પર આવશે
31 ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે સરકારે જાહેર કરી છે. આ 31 ઓક્ટોબરે કેવડિયા એકતાનગર ખાતે  રાષ્ટ્રીય એકતા પરેડનું આયોજન કરવામાં આવે છે. જેમાં વડાપ્રધાન નરેદ્ર મોદી હાજર રહેનાર છે.

Visit Saurashtra Kranti Homepage here

સતત 2018 થી અહીંયા 31 ઓક્ટોબરે એકતા પરેડ થાય છે. જે આ વર્ષે પણ થનાર છે. રાષ્ટ્રીય એકતા પરેડની મહત્વની જવાબદારી સોંપવામાં આવેલ એવા કેટલાક આધિકારીઓએ તો કેવડિયામાં ધામા નાખી દીધા છે. આ વર્ષે ભવ્યતિ ભવ્ય ઉજવણી થનાર હોય, તેની તૈયારીઓ આરંભી દીધી છે. તાજેતરમાં બીએસએફ્ના ડિજી સહિત ઉચ્ચ અધિકારીઓ અહીંયા એક વાર આવી ચુક્યા છે. નવા આકર્ષણમાં આ વર્ષે પણ નવું સ્નેક હાઉસ, અનેક મ્યુઝિયમો બનાવવામાં આવ્યા છે. વિઝીટર સેન્ટર, પબ્લિક સાયકલીગ શેરિંગ, ઇ-બસ, ઓથોરાઈઝડ ગાઈડ સર્વિસ, ફેમિલી બોટ – SOU ટૂ નર્મદા ડેમ, સ્પીડ બોટ – SBB TO SOU, 100 બેડની ટ્રોમાં હોસ્પિટલ ભૂમિપૂજન ઓપન જંગલ સફારી ( કેનાલ 0 પોઇન્ટ પાસે ) આ બાબતો નું વર્ષ 2023-2024 ના ગુજરાત સરકારના બજેટમાં પણ જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આવા મોટા કરોડોના આકર્ષણોના લોકાર્પણ અને ભૂમિપૂજન આગામી 31 ઓક્ટોબર પછી પ્રવાસીઓ ને મળશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here