શરદી-ઉધરસના 353 કેસ, ઝાડા-ઉલ્ટીના 184 કેસ નોંધાયા

શરદી-ઉધરસના 353 કેસ, ઝાડા-ઉલ્ટીના 184 કેસ નોંધાયા
શરદી-ઉધરસના 353 કેસ, ઝાડા-ઉલ્ટીના 184 કેસ નોંધાયા
અઠવાડિક પોઝિટિવ કેસની સંખ્યા તા.7-8 થી 13-8 સુધીમાં ડેન્ગ્યુના બે કેસ નોંધાયા છે. શરદી-ઉધરસના 353 કેસ, સામાન્ય તાવના 47, ઝાડા-ઉલ્ટીના 184, કેસ નોંધાયા છે.ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વધુ લોકોને કરડતો હોવાથી, વધુ લોકો હોય તેવા સ્થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે.

Visit Saurashtra Kranti Homepage here

મચ્છરનું જીવનચક્ર ટૂંકુ હોય છે અને પુન: ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાસ્થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્5તિ ઘણી વધી જાય છે.રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે.આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ મેલેરિયા ફિલ્ડવર્કર-56, અર્બન આશા-415 અને વી.બી.ડી વોલેન્ટીયર્સ-115 દ્વારા તા.7/8/23 થી તા.13/8/23 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 58,956 ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા 1102 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.

મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ, જીવરાજ પાર્ક, નાલંદા પાર્ક, ઘનશ્યામ નગર મેઈન રોડ, માઘા5ર ચોકડી પાસેનો વિસ્તાર, ત્રિકોણ બાગ, જયુબેલી  ચોક, નાગરીંક બેંક, આલ્ફ્રેડ સ્કુલ, ચૈાઘરી હાઇસ્કુલ પાસેનો વિસ્તાર, રેસકોર્ષ રીંગ રોડ, કિશન 5રા ચોક, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક સુઘીનો વિસ્તાર, કોટેચાનગર, ન્યુ જાગનાથ, યાજ્ઞિક રોડ, હેમુગઢવી હોલ વાળો રોડ, એસ્ટ્રોન ચોક થી અમીન માર્ગ રોડ, કોટેચા રોડ થી કાલાવડ રોડ થી કિસાન5રા ચોક થી રેસકોર્ષ રીંગ રોડ થી ફુલછાબ ચોક થી મોટી ટાંકી થી ત્રિકોણ બાગ વગેરે વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.

Read About Weather here

ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 416 પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ-વાડી-પાર્ટી પ્લોટ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં 398 અને કોર્મશીયલ 58 આસામીને નોટીસ આ5વામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here