અમરેલી અને મોરબી ૬-૬ , જામનગર અને સુરેન્દ્રનગર ૫-૫ ચેપગ્રસ્ત
ગુરૂવારે કોરોનાના 47 કેસ સૌરાષ્ટ્રમાં નોંધાયા બાદ કોરોનાના કેસની સંખ્યા 62 જોવા મળી હતી. જેમાં રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 35 કેસ નોંધાયા છે. 62 દર્દી સામે 50 દર્દી કોરોના મુક્ત થયા હતા. રાજકોટ શહેરમાં 17 અને ગ્રામ્યમાં 17 મળીને કુલ 39 દર્દી નોંધાયા છે. બુધવારે આ સંખ્યા 23 હતી જેમાં 13 નો વધારો થયો છે.
કોરોનાના કેસમાં ધીમે ધીમે વધારો થતો જોવા મળે છે. જેમાં રાજકોટમાં 35 દર્દી અને ગ્રામ્ય વિસ્તારમાં 6 દર્દી કોરોનાથી સાજા થયા છે. અન્ય જિલ્લાની વિગતો જોઈએ તો અમરેલીમાં 6 દર્દી નોંધાયા છે જયારે 1 દર્દી કોરોનાથી મુક્ત થયો છે. મોરબીમાં પણ 6 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે જયારે 4 દર્દી સાજા થયા હતા.
Read Saurashtra Kranti E-Paper here
જામનગર કોર્પોરેશન વિસ્તારમાં 3 દર્દી કોરોનાગ્રસ્ત થયા છે તો જિલ્લામાં 2 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પોરબંદરમાં 3 કોરોનાગ્રસ્ત થયા છે. જયારે 1 દર્દી સાજા થયા છે. ગિર સોમનાથમાં 1 દર્દી કોરોનાની ચપેટમાં આવ્યો છે. સુરેન્દ્રનગરમાં ૫ દર્દી પોઝિટિવ આવ્યા છે. જેની સામે 1 દર્દી સાજો થયો છે.
Read About Weather here
વધાતા જતાં કોરોના કેસોને ધ્યાનમાં લઈને લોકો હજુ પણ સાવચેતી રાખી કોરોનાની ગાઈડલાઇન્સની પાલન કરવું જોઈએ જેને પરિણામે કોરોનામાં સામે રક્ષણ મેળવી શકાય છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here