સોમનાથ સ્ટેશનના પુનઃવિકાસનું કામ ચાલુ છે, તેમજ ટ્રેનની કામગીરી પણ ચાલુ છે.
પુનઃવિકાસ કાર્યને ઝડપી બનાવવા માટે, સોમનાથ સ્ટેશન પર આવતી/જતી તમામ ટ્રેનો 01 સપ્ટેમ્બરથી આગળની સૂચના સુધી વેરાવળ સ્ટેશનથી પહોંચશે તેમજ ઉપડશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી નીચેની ટ્રેનો વેરાવળ પહોંચશે અને વેરાવળ સ્ટેશનથી જ ઉપડશે:
Read Saurashtra Kranti E-Paper here
1. ટ્રેન નંબર 19252 ઓખા-સોમનાથ એક્સપ્રેસ 31 ઓગસ્ટથી અને ટ્રેન નંબર 19251 સોમનાથ-ઓખા એક્સપ્રેસ 01 સપ્ટેમ્બર થી ઓખા અને વેરાવળ વચ્ચે દોડશે.
2. ટ્રેન નંબર 19119/19120 અમદાવાદ-સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ 01સપ્ટેમ્બર થી અમદાવાદ અને વેરાવળ વચ્ચે દોડશે.
3. ટ્રેન નંબર 11464/11466 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ ટ્રેન 31ઓગસ્ટ થી જબલપુર અને વેરાવળ વચ્ચે દોડશે.
Read About Weather here
4. ટ્રેન નંબર 11463/11465 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ 01 સપ્ટેમ્બર થી વેરાવળ અને જબલપુર વચ્ચે દોડશે.
5. ટ્રેન નંબર 09521/09522 રાજકોટ-સોમનાથ-રાજકોટ સ્પેશિયલ 01સપ્ટેમ્બર થી રાજકોટ અને વેરાવળ વચ્ચે દોડશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here