રાજકોટના ખ્વાજા ચોકમાં દુકાન ચલાવતા વેપારીને દુકાન બંધ કરવાનું કહી ૧૧ શખ્સોએ સશસ્ત્ર હુમલો કર્યો હતો અને દુકાનમાં તોડફોડ કરી વેપારીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
Visit Saurashtra Kranti Homepage here
આ મામલે રાજકોટના ભક્તિનગર પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ થવા પામી છે.જેમાં ફરિયાદી હાજીભાઇ દાઉદભાઇ ખેભરે આરોપીઓ સમીર ઉર્ફે સંજલો જુણેજા, મુજુડો, સરફરાજ, દાનીસ સીપાઇ, સમીર ઉર્ફે સંજલાનો ભાણો સોહીલો, સમીર ઉર્ફે સંજલાનો ભાણો નવાઝ ઉર્ફે નવલો,સમીર ઉર્ફે સંજલાનો ભાણો સમીર, તેજીમ અને બે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, તા.૨૩/૧૧/૨૦૨૩ ના કલાક રાત્રીના સાડા દસેક વાગ્યાના અરસામાં હાજીભાઇ પોતાની દુકાને હાજર હતા. એ સમયે આરોપી સમીર ત્યાં આવ્યો હતો અને તેણે હાજીભાઈને દુકાન બંધ કરવાનું કહ્યું હતું જેથી હાજીભાઈએ આરોપી સમીરને પૂછ્યું હતું કે, ‘ક્યા કારણથી દુકાન બંધ કરવાનુ કહો છો.
Read National News : Click Here
તેમ કહેતા અન્ય આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે હાજીભાઈને લાકડાના ધોકાવડે માથાના ભાગે તથા શરીરે તથા વાસાના ભાગે તથા ડાબા હાથે ઢોર માર મારી ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. આરોપીઓના મારથી બચવા હાજીભાઈ દોડવા જતા આરોપીઓ તેમની પાછળ દોડ્યા હતા અને હજીભાઇને અટકાવી છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં દુકાનમાં તોડફોડ કરી નુકસાન પણ પહોંચાડ્યું હતું. આ ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here