બોરોસીલ કંપનીમાં ઇસમે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી (21)

BOROSILE-SUICIDE
BOROSILE-SUICIDE

બોરોસીલ કંપનીની કેન્ટીનમાં ચા પાણી આપવાનું કામ કરતો હતો

Subscribe Saurashtra Kranti here.

ઝઘડીયા પાસે આવેલી બોરોસીલ કંપનીમાં આવેલી કેન્ટીનમાં એક ઈસમે ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુકાવ્યું હોવાની ઘટના સામે આવી હતી. ઝઘડીયા પોલીસ સ્ટેશનેથી મળતી માહિતી મુજબ ઝઘડીયા પાસે આવેલી બોરોસીલ કંપનીની કેન્ટીનમાં પ્રમોદસીંગ અમરસીંગ ઉ. વર્ષ ૨૫ રહે. બોરોસીલ કંપની જે બોરોસિલ કંપનીની કેન્ટીનમાં ચા પાણી આપવાનું કામ કરતો હતો.

જેને ગતરોજ સાંજના અરસા દરમ્યાન કોઈ કારણોસર પોતે જાતે જ બોરોસીલ કંપનીની કેન્ટીનની રૂમની છતમાંની લોખંડની એંગલ સાથે ગમછો બાંધી ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુકાવી લેતાં ચકચાર મચી જવા પામી હતી. કામદારે આત્મહત્યા કેમ કરી તે અંગે હજુ કારણ જાણવા મળ્યું નથી. આ ઘટનાની જાણ ઝઘડીયા પોલીસ ને થતાં ઝઘડીયા પોલીસ ઘટના સ્થળે પહોચી મૃતકની લાશનો કબજો લઈ પી. એમ માટે મોકલીને આગળની તપાસ હાથ ધરી છે.

વિકાસ પર્યાય બનેલા ગુજરાતમાં સતત આત્મહત્યાના કેસ વધી રહૃાા છે. ક્યાંય પારિવારિક ઝઘડા તો ક્યારેક આર્થિક ભીંસ જેવી બાબતોને લઇને લોકો મુશ્કેલીનો સામનો કરવાના બદલે આત્મહત્યાનો પ્રયત્ન કરે છે. તાજેતરમાં જ વિધાનસભામાં આંકડા રજૂ કરવામાં આવ્યા હતા જે ખરેખર ચોંકાવનારા છે. છેલ્લા ૨ વર્ષમાં ગુજરાત વિધાનસભામાં સરકારે જે આંકડા રજૂ કર્યા છે તેનાથી આ દાવા પોકળ સાબિત થઇ રહૃાા છે.

Read About Weather here

રાજ્યમાં ૨ વર્ષમાં ચોરીના ૨૫૭૨૩ કેસ જ્યારે ઘરફોડ ચોરીના ૭૬૧૧ કેસ નોંધાયા છે. જ્યારે ૧૪૭૦૨ લોકોએ આત્મહત્યા કરી છે. જોવા જઇએ તો દરરોજ ૨૦ લોકો આત્મહત્યા કરી રહૃાા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here