પતિ સાથે કુલરમાં પાણી નાંખવા બાબતે ઝઘડો થતા પત્નિનો આપઘાત

વડોદરા શહેરમાં સતત આપઘાતના કેસો સામે આવી રહૃાા છે, ત્યારે વડોદરાના વડોદરાના માણેજા વિસ્તારમાં પરિણીતાએ સાતમાં માળેથી પડતું મૂકી મોતને વ્હાલુ કરી લીધું હતુ. કુલરમાં પાણી નાખવા બાબતે પતિ સાથે થયેલા ઝઘડામાં પત્નીએ આપઘાત કરી લીધો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ૨ દિવસ અગાઉ કરોડિયા ગામ પાસે આવેલી આમ્રપાલી સોસાયટીના યુવાને પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં આવેલા બાકેરી લેટમાં ત્રણ વર્ષ પહેલા સૌરભ દેશમુખ અને તેમના પત્ની વૈશાલીબેન રહેવા માટે આવ્યા હતા. સૌરભ શહેર નજીકની એક ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે. સૌરભ અને વૈશાલીના સાડા ત્રણ વર્ષ અગાઉ લગ્ન થયા હતા. લગ્ન બાદ દંપતી વડોદરા સ્થિત માણેજા ખાતેના બાકેરી લેટમાં રહેતુ હતુ. બુધવારે મોડી રાત્રે દંપતી વચ્ચે સામાન્ય બોલાચાલી થતાં પત્નીએ સાતમાં માળેથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.

રાત્રિના લગભગ અઢી વાગ્યાના અરસામાં બનેલી આ ઘટના અંગે વૈશાલાના પતિ સૌરભ પણ અજાણ હોવાનુ જાણાવા મળી રહૃાું છે. તેવામાં લેટમાં રહેતા લોકોને બનાવની જાણ થતાં તેઓ તાત્કાલિક દોડી આવ્યાં હતા. દરમિયાન ઘટના અંગે મકરપુરા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં સૌરભ અને વૈશાલી વચ્ચે કુલરમાં પાણી નાખવા બાબતે બોલાચાલી થઇ હતી. જે બાબતનું વૈશાલીને લાગી આવતા તેણીએ સાંતમાં માળેથી કૂદીને આપઘાત કરી લીધો હોવાનુ જાણવા મળ્યું છે.