નાગરિકની માથાદીઠ પાણીની ઉપલબ્ધતા 1700 ક્યુબીક મીટર કરાશે : પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા

નાગરિકની માથાદીઠ પાણીની ઉપલબ્ધતા 1700 ક્યુબીક મીટર કરાશે : પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા
નાગરિકની માથાદીઠ પાણીની ઉપલબ્ધતા 1700 ક્યુબીક મીટર કરાશે : પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા

કેન્દ્ર સરકાર દ્વારા પાણીના શ્રેષ્ઠ આયોજન માટે ભોપાલ ખાતે દેશના ત્રીસ રાજ્યોની પ્રથમ વાર્ષિક બેઠક યોજાઇ: દેશના ત્રીસ રાજ્યોના રાજ્યમંત્રીઓ, કેન્દ્રના મંત્રીઓ થયા સહભાગી

ગુજરાતના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું છે કે,રાજ્યના નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી તથા ખેડૂતોને સિંચાઇ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે રાજ્ય સરકારે શ્રેષ્ઠ આયોજન કર્યુ છે.જેના પરિણામે વર્ષ 2047 માં નાગરિકોની માથાદીઠ પાણીની ઉપલબ્ધતા 850 ક્યુબીક મીટરથી વધારીને 1700 ક્યુબીક મીટર કરવાનો રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

કેન્દ્ર સરકારના જળ સંશાધન, જળ શક્તિ મંત્રાલય દ્વારા મધ્ય પ્રદેશના ભોપાલ ખાતે દેશના ત્રીસ રાજ્યોની પ્રથમ વાર્ષિક બેઠક યોજાઇ છે જેમાં દેશના ત્રીસ રાજયોના રાજ્યમંત્રીઓ, કેન્દ્ર સરકારના જળ સંશાધન, જળ શક્તિ મંત્રાલયના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ સહભાગી થયા છે.ભોપાલ ખાતે યોજાયેલ આ કોન્ફરન્સમાં સહભાગી થતા મંત્રી બાવળીયાએ જણાવ્યું હતું કે,રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે વોટર વિઝન અને અછત નિવારવા પાણીના યોગ્ય સંશાધનોમાં સુનિશ્ચિત ઉપયોગ માટે શ્રેષ્ઠ આયોજન કર્યુ છે.તેમણે રાજ્યના 2047 ના વોટરવિઝન અને ગુજરાતે છેલ્લા 20 વર્ષમાં અછત ગ્રસ્ત પાણીના અભાવ વાળા વિસ્તારોમાં પાણીની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા માટે કરેલા આયોજનની વિકસીત રૂપરેખા પ્રેઝન્ટેશન દ્વારા આવી હતી.

Read About Weather here

મંત્રી બાવળીયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા આ નવતર અભિગમને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, પાણીના વિષયને સંકલિત કરીને આ પ્રકારની અભૂતપૂર્વ કોન્ફરન્સનું આયોજન દેશમાં પહેલી વખત થયું છે. જળ સંસાધન,પીવાના પાણી,સિંચાઈ વ્યવસ્થા, શહેરી વિસ્તારમાં પાણીના ઉત્પાદન,ઉપલધ્ધી અને તેનો યોગ્ય પ્રકારે ઉપયોગ વગેરે મુદ્દાઓને અત્યાર સુધી જુદા જુદા વિષયો તરીકે લેવાતું હતું તેની જગ્યાએ પ્રથમ વખત એક મંચ પર સંકલિત થવાથી વર્ષ 2047 સુધી અમૃતકાલના કેન્દ્ર અને રાજ્ય સરકારના આયોજનો કરવામાં આ કોન્ફરન્સ ખૂબ જ અગત્યનો ભાગ ભજવશે.તેમણે કહ્યું કે,સર્ક્યુલર ઇકોનોમીના ક્ધસેપ્ટ સાથે જ્યારે ભારત વર્ષ-2047 ના અંત સુધીમાં વિશ્વની સૌથી મોટી અર્થ વ્યવસ્થા બનવા તરફ અગ્રેસર છે,ત્યારે દરેકે દરેક નાગરિક માટે જળ સંશાધન સહિત તમામ પ્રકારના સ્વરૂપોમાં ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી એ આજના સમયનો પડકાર છે અને સાથે સાથે એક તક પણ મળશે.

ગુજરાતની 20 વર્ષની સિદ્ધિનું પ્રેઝન્ટેશન
રાજ્યના અછતગ્રસ્ત અને સંસાધન વિનાના ક્ષેત્રોના વિકાસ માટે જલ આપૂર્તિ સુનિશ્ચિત કઈ રીતે કરવામાં આવી તે અંગે ગુજરાતની 20 વર્ષની સિદ્ધિનું પ્રેઝન્ટેશન રજૂ કરતાં મંત્રીએ કહ્યું હતું કે ટેન્કર રાજ, દુર દુરથી પાણી લાવવું, મોટા પ્રમાણમાં માનવી અને પશુઓનું કચ્છ સૌરાષ્ટ્ર માંથી સ્થળાંતર જેવા વિષયોને ગુજરાતે આ ચાર સ્તરીય વ્યવસ્થા દ્વારા ભૂતકાળ બનાવી દીધી છે. પ્રથમ સ્તરમાં એક વિસ્તારના વધારાના પાણીને સૌરાષ્ટ્ર,કચ્છ, ઉત્તર ગુજરાતના વિસ્તારમાં પુરુ પાડ્યુ છે.જેના માટે નર્મદા કમાન્ડ ડેવલપમેન્ટ, સુજલામ સુફલામ પ્રકારની યોજનાઓ રાજ્ય સરકારે અમલી બનાવી છે.તે જ રીતે બીજા તબક્કામાં સૌની યોજના,લીફ્ટ ઈરીગેશન સ્કીમ અને બલ્ક લાઈન મારફતે એક વિસ્તારના પાણીને બીજા વિસ્તારમાં ક્લસ્ટર સ્વરૂપે પણ પહોંચાડ્યુ છે.તળાવ,નાના ડેમ આધારિત સિંચાઇ યોજનાઓ માં વરસાદની ગમે તે પરિસ્થિતિ હોય તેમ છતાં પાણીની ઉપલબ્ધતા સુનિશ્ર્ચિત કરી છે.ત્રીજા તબક્કામાં બલ્ક લાઈનથી ઉપલબ્ધ પાણીને જૂથ યોજનાઓ મારફતે દરેક ગામ સુધી પહોંચાડીને, વાસ્મોના નેટવર્કનો ઉપયોગ કરીને ગામમાં ઉપલબ્ધ બનેલ પાણીને ઘર ઘર સુધી પહોંચાડયુ છે.

ગુજરાત માટે વર્ષ-2047નું વિઝન
ગુજરાત માટે વર્ષ-2047 નું વિઝન રજુ કરતા તેમણે કહ્યું કે ગુજરાતનું વિઝન ચાર મુખ્ય સ્તંભો ઉપર આયોજીત છે.જેના પહેલા સ્તંભમાં સંસાધનની ઉપલબ્ધતા, બીજા સ્તંભમાં માંગનું યોગ્ય નિયોજન, ત્રીજા સ્તંભમાં જરૂરિયાત મુજબ સપ્લાયનો યોગ્ય પ્રયોજન અને ચોથા સ્તંભમાં જળની સ્થિરતા લાંબા ગાળા માટે સુનિશ્ચિત કરવાનું રહેશે.આ ચાર સ્તંભો ગુજરાત કયા પ્રકારે સિદ્ધ કરશે તે માટે તેમણે ગુજરાત સરકારના હાલના અભિગમ અને આગામી વર્ષોમાં જે નવી યોજનાઓ રાજ્ય સરકાર કરવા માંગે છે તે વિશે વિગતો રજુ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here