પોરબંદરના મોઢવાળા ગામમાં નવોઢાએ ઝેરી દવા પી લેતાં સારવારમાં દમ તોડયો હતો. મૃતકના હજુ ચાર મહિના પહેલાં જ લગ્ન થયાં હતાં.
મળતી વિગત મુજબ ભાવનાબેન સંજયભાઈ મોઢવાડીયા તેણીએ ગત તા.9/6/2024 ના રોજ સાંજનાં સમયે અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતાં તાકીદે પોરબંદર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
![નવવધૂએ ઝેરી દવા પી લેતાં સારવારમાં દમ તોડયો ઝેરી દવા પી](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. જ્યાં ગઈ કાલે સારવારમાં દમ તોડી દિધો હતો. તેણીનાં ચાર મહિના પહેલાં જ લગ્ન થયાં હતાં. બનાવ અંગે મૃતકના પરિવારમાં કલ્પાંત છવાયો છે.
Visit Saurashtra Kranti E-paper here