દ્રૌપદી મુર્મુએ નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી નું નામ બદલવા મંજૂરી આપી

દ્રૌપદી મુર્મુએ નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી નું નામ બદલવા મંજૂરી આપી
દ્રૌપદી મુર્મુએ નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી નું નામ બદલવા મંજૂરી આપી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી (NMML)નું નામ બદલીને પ્રધાનમંત્રી મ્યુઝિયમ રાખવાની મંજૂરી આપી દીધી છે. આ અંગે આજે ગેઝેટ નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

14 ઓગસ્ટે બદલાયું હતું નામ

નેહરુ મેમોરિયલ મ્યુઝિયમનું સત્તાવાર રીતે 14 ઓગસ્ટના રોજ પ્રાઇમ મિનિસ્ટર્સ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી (PMML) સોસાયટી તરીકે નામકરણ કરવામાં આવ્યું હતું. આ પહેલા જૂનમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. આખરે રાષ્ટ્રપતિ મુર્મુએ પણ તેને મંજૂરી આપી દીધી છે.

Read About Weather here

કેન્દ્ર સરકારે PMML સોસાયટીનું પુનર્ગઠન કર્યું છે. હવે આ સોસાયટીના પ્રમુખ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપપ્રમુખ રક્ષા મંત્રી રાજનાથ સિંહ હશે. આ સાથે ગૃહમંત્રી અમિત શાહ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર, માનવ સંસાધન વિકાસમંત્રી રમેશ પોખરિયાલ સોસાયટીના સભ્યો હશે. તેમની સાથે કેન્દ્રીય મંત્રી વી મુરલીધરન, પ્રહલાદ પટેલ, ICCR પ્રમુખ વિનય સહસ્રબુદ્ધે વગેરે પણ તેના સભ્યો હશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here