એક્શનમાં કમિશ્ર્નર: વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ સહિત ૭ કર્મી સસ્પેન્ડ

અમદાવાદ શહેરના એસજી હાઈવે પર સ્થિત કોલસેન્ટર મામલે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં કોલસેન્ટરના ડેટા સાથે બે યુવાનોની પોલીસે અટકાયત કર્યા બાદ તેના માલિક પાસેથી લાખો રૂપિયાની લાંચ (તોડ)ના અહેવાલ પ્રાપ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે મામલો એ છે કે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના તત્કાલિન પીઆઈ વાય બી જાડેજા, પીએસઆઈ અને પાંચ કોસ્ટેબલને પોલીસ કમિશ્ર્નરે સસ્પેન્ડ કર્યા છે. મળતી માહિતી પ્રમાણે ૬૫ લાખનો તોડ કરવામાં આવ્યો હતો. આ બાદૃ શહેર કમિશ્ર્નર એક્શનમાં આવ્યા હતા, અને તેમણે મહત્વનો નિર્ણય કર્યો હતો.

અંદાજીત બે મહિના પહેલા આ કોલસેન્ટરના બે યુવાનોને ઝડપીને પ્રથમ ૩૦ લાખ અને ત્યાર બાદ ૩૫ લાખનો તોડ નક્કી કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસની છબી ખરડાઈ છે. ત્યારે આ મામલે ગરમાતા તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. જેમાં ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે સંપૂર્ણ રિપોર્ટ પોલીસ કમિશ્ર્નરને સોંપ્યો હતો. રિપોર્ટમાં વધુ ખુલાસાઓ કરવામાં આવ્યા હતા, જેમાં કોલસેન્ટર તોડ કાંડ અને શહેરના પ્રખ્યાત પોપ્યુલર બિલ્ડર કેસના આરોપીઓને સારી સવલત આપવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શું આ સમગ્ર કાંડમાં આઈપીએસ અધિકારીઓની પણ સંડોવણી હતી? ત્યારે બીજી તરફ આઈપીએસ અધિકારીઓની ભૂમિકાઓ પર પણ સવાલ ઉઠવામાં આવ્યા છે, જ્યારે બીજી તરફ આ તોડકાંડ કેસમાં આઈપીએસ અધિકારીઓ પણ હોવાની ચર્ચાએ બેડામાં જણાઈ રહૃાું હતું, તપાસમાં માત્ર ૭ પોલીસ અધિકારીઓ સામે કાર્ય વાહી કરવામાં આવી છે. આ સમગ્ર મામલે આઈપીએસ અધિકારીઓની તમામ ભૂમિકાઓને પણ દૃબાવાવમાં આવી હોય તેવી ચર્ચા પણ ચરચાઈ રહી છે.