આજથી સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થશે , આ ત્રિદિવસીય પ્રવેશોત્સવમાં અંદાજે 32.33 લાખ બાળકોનો શાળા પ્રવેશોત્સવ થશે. મુખ્યમંત્રી શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે વનવાસી ડાંગ જિલ્લાના અંતરિયાળ સરહદી ગામ બિલિઆંબામાં બાળકોનો શાળા પ્રવેશ કરાવશે.
![આજથી રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ… મહોત્સવ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
બીજા દિવસે તા. 27મી એ છોટાઉદેપુર, અને તા. 28મી એ સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યમંત્રી શાળા પ્રવેશોત્સવમાં જોડાશે. ત્રિદિવસીય પ્રવેશોત્સવમાં વિધાનસભા અધ્યક્ષ સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, પદાધિકારીઓ IAS, IPS, IFS અને વર્ગ-1ના કુલ 367 અધિકારીઓ વિવિધ સ્થળોએથી બાળકોનું શાળા નામાંકન કરાવશે.
![આજથી રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ… મહોત્સવ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
ત્રિદિવસીય પ્રવેશોત્સવમાં અંદાજે 32.33 લાખ બાળકોનો શાળા પ્રવેશોત્સવ થશે.
Visit Saurashtra Kranti E-paper here