અમદાવાદમાં રાત્રે ખાણીપીણીની બજારો બંધ કરવાની વાત માત્ર અફવા: એએમસી

અમદાવાદમાં ગઈકાલે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સઘન ચેિંકગ હાથ ધરાયું હતું. જેમાં ખાણીપીણીની બજારો અને રેસ્ટોરન્ટમાં ચેિંકગ કરાયું હતું. જેના બાદ અમદાવાદમાં રેસ્ટોરન્ટ અને ખાણીપીણી બજારો બંધ કરવાની વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી. બાદમાં એએમસી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો કે, આ વાત માત્ર અફવા છે. ૭.૩૦ વાગે અમદાવાદમાં ખાણીપીણી બંધ કરી દેવાનો કોઈ આદેશ એએમસી એ આપ્યો નથી. કોવિડ ગાઈડલાઈનનો ભંગ જણાય ત્યાં જ યુનિટ બંધ કરાવી દેવાય છે. અમદાવાદ શહેરમાં કોરોના કેસમાં વધારો થતાં એએમસી સક્રિય થયું છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ચેિંકગ શરૂ કરાયું છે. અમદાવાદની ખાણી પીણી બજાર અને રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરાઈ છે. જેમાં સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક મામલે તપાસ કરાઈ છે. અમદાવાદમાં જે ખાણીપીણીના સેન્ટર પર ગાઈડલાઈનનો ભંગ જણાય તો યુનિટ બંધ કરી દેવાની મૌખિક સૂચના અપાઈ છે.

અમદાવાદ પશ્ર્ચિમ વિસ્તારમાં તપાસ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારે એએમસીની ઓચિંતી કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. સીજી રોડ, લો ગાર્ડન, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં કેટલાય વેપારીઓએ દૃુકાનો બંધ કરી હતી. વેપારીઓમાં ખાણીપીણીની બજારો બંધ કરાય છે તેવી અફવા ફેલાઈ હતી. જોકે, આ વાતનો બાદમાં એએમસી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ, અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતાં રાત્રે ખાણીપીણી બજાર અને રેસ્ટોરેન્ટમાં સઘન ચેિંકગ હાથ ધરાયું છે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતની કોવિડ ગાઈડલાઈનનો ભંગ થતો હોય તો યુનિટ બંધ કરાવવાની મૌખિક સૂચના આપી દેવાઈ છે. જોકે, અમદાવાદમાં રેસ્ટોરન્ટ અને ખાણીપીણી બજારો બંધ કરવાની વાત માત્ર અફવા હોવાનું સામે આવ્યું છે.

સાંજે ૭.૩૦ વાગે બજારો બંધ કરી દેવું એવો કોઈ આદેશ એએમસી એ આપ્યો નથી. કોવિડ ગાઈડલાઈનનો ભંગ જણાય ત્યાંજ યુનિટ બંધ કરાવી દેવાય છે. કોરોના સંક્રમણ વધ્યું, પણ બજાર બંધ કરવાની કોઈ વાત નથી. આ વિશે એએમસીના અધિકારીએ જણાવ્યું કે, રાત્રે બજાર બંધ કરવાની અત્યારે કોઈ વાત નથી. રાત્રિ કર્યૂનો સમય વધારવાનો કોઈ આદૃેશ નથી. જ્યાં ભીડ થતી હોય ત્યાં કોવિડ ગાઈડલાઈનનું પાલન જરૂરી છે. લૉકડાઉન કે ૮ વાગ્યા પછી બજાર બંધ કરવાની વાતને અધિકારીએ અફવા ગણાવી છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું હોય તો કોઈ કાર્યવાહી ન કરવા આદેશ કરાયા છે.