
વિધાનસભા -69 માં આયુષ્માન ભારત કાર્ડ કેમ્પ પ્રધાનમંત્રી જન ધન યોજના, પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના કેમ્પ તથા સરકારની જુદી- જુદી યોજનાનો કેમ્પ યોજાશે. વિધાનસભા- 69 ના ધારાસભ્ય ડો. દર્શિતા શાહે આ અંગે જણાવેલ છે, કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકોની સુખાકારી તથા તંદુરસ્તી ધ્યાને લઈ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્માન ભારત કાર્ડમાં આરોગ્ય લક્ષી 10 લાખ સુધીની મફત સારવાર આપવામાં આવે છે.
Visit Saurashtra Kranti Homepage here
આ યોજનાનો વધુ ને વધુ લોકો લાભ લઈ શકે તેવા ઉમદા હેતુથી વિધાનસભા-69માં આગામી દિવસોમાં આયુષ્માન કાર્ડ કેમ્પ તથા સરકારની જુદી-જુદી યોજના (પ્રધાનમંત્રી જન ધન યોજના , પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના) વિગેરે યોજનાના કેમ્પનું આયોજન રાજકોટ મહાનગરપાલિકા ના સહયોગથી કરવામાં આવનાર છે. અત્રે ઉલેખનીય છે કે પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના અંતર્ગત અકસ્માતે મૃત્યુના કિસ્સામાં કેન્દ્ર સરકાર દ્વારા રૂ. 2.00,000 સહાય ચુકવવામાં આવશે,આ યોજનાનો પ્રથમ પ્રીમિયમની રકમ ધારાસભ્ય દર્શીતાબેન શાહ તરફથી ચુકવવામાં આવશે.આ કેમ્પમાં લાભ લેવા ઈચ્છુક લાભાર્થીઓ એ પોતાનું નામ /વિગત વ્યવસ્થાના ભાગ રૂપે સવારે 11થી 5 વચ્ચે વિધાનસભા-69ના કાર્યાલય ના મોબાઈલ નંબર-99792792 90 પર નામ નોંધાવી દેવા જણાવ્યું છે.
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here