
ભારત અને આયરલેન્ડ વચ્ચેની ત્રીજી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચ ગઈકાલે ડબલિનમાં એક પણ બોલ ફેંક્યા વિના રદ કરવામાં આવી હતી. ભારતે રવિવારે બીજી T20 મેચમાં જીત સાથે સિરીઝ 2-0થી જીતી લીધી હતી.
Visit Saurashtra Kranti Homepage here
ભારતીય ટીમના કેપ્ટન જસપ્રિત બુમરાહને આ સિરીઝમાં શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. જસપ્રિત બુમરાહે કહ્યું કે મેદાન પર પાછા ફરીને સારું લાગે છે. મેચ માટે લાંબા સમય સુધી સતત રાહ જોવી કંટાળાજનક છે. આજે સવારે વાતાવરણ ખૂબ જ ખુશનુમા હતું, પરંતુ તે પછી વરસાદને કારણે રમત રમાઈ શકી ન હતી. આ સિવાય જસપ્રિત બુમરાહે ભારતીય ટીમની કેપ્ટનશિપ પર પોતાની વાત રાખી હતી. જસપ્રીત બુમરાહે કહ્યું કે ભારતીય ટીમની કેપ્ટનશીપ કરવી ખૂબ જ ગર્વની વાત છે. અમારી ટીમના તમામ ખેલાડીઓ ઉત્સાહથી ભરેલા છે. જ્યારે પણ તક મળે ત્યારે તમારે પ્રદર્શન કરવું પડશે. એક ક્રિકેટર તરીકે તમે હંમેશા જવાબદારી લેવા ઈચ્છો છો.
Read About Weather here
ફાઈનલ મેચમાં ટોસમાં વરસાદને કારણે વિલંબ થયો હતો અને ઘણી તપાસ બાદ અમ્પાયરોએ નિર્ધારિત સમયના ત્રણ કલાક બાદ મેચ રદ કરી હતી. આ સિરીઝમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ 11 મહિના પછી સર્જરી બાદ પ્રભાવશાળી પુનરાગમન કર્યું હતું. ઓક્ટોબર-નવેમ્બરમાં ઘરઆંગણે યોજાનારા વર્લ્ડ કપ પહેલા વરિષ્ઠ ખેલાડીઓની ગેરહાજરીમાં બુમરાહે યુવા ખેલાડીઓથી ભરેલી ટીમનું નેતૃત્વ કર્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here