જામનગરમાં શંકર ટેકરી નજીક સિદ્ધાર્થ કોલોની વિસ્તારમાં રહેતી અને સાતમા ધોરણમાં અભ્યાસ કરતી ૧૨ વર્ષ ની એક કિશોરીએ પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.
Visit Saurashtra Kranti Homepage here
જે બનાવને લઈને પરિવારમાં ભારે કરુણાંતિકા છવાઈ છે. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં શંકર ટેકરી સિદ્ધાર્થ કોલોની શેરી નંબર-૮ માં રહેતી અને ધોરણ સાતમાં અભ્યાસ કરતી પ્રિયાંશીબેન પ્રવીણભાઈ વારંગિયા નામની ૧૨ વર્ષની વણકર જ્ઞાતીની કિશોરીએ ગઈકાલે પોતાના ઘેર આગમ્ય કારણોસર પંખાના હુકમા દુપટ્ટો બાંધી ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
Read National News : Click Here
આ બનાવ અંગે મૃતકના પિતા પ્રવીણભાઈ હીરાભાઈ વારંગિયાએ પોલીસને જાણ કરતાં સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહના કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક કિશોરી સાતમા ધોરણમાં અભ્યાસ કરતી હતી. તેણીએ કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું છે, તે જાણવા માટે પોલીસ દ્વારા પરિવારજનોની પૂછપરછ શરૂ કરાઇ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here