ગુજરાતની બેંકોમાં ચાલી રહેલી ફ્રેન્કિંગ સિસ્ટમ બંધ કરવામાં આવી છે. કેમકે સરકારે ફ્રેન્કિંગ મશીનનો પરવાનો રીન્યુ કર્યો નથી. આથી દસ્તાવેજ જેવી મહત્વની કામગીરીમાં વિલંબ થતા હજારો લોકો હાડમારીમાં મુકાઇ ગયા છે. સરકારે તમામ બેંકોમાં ચાલતા મશીનનો પરવાનો રીન્યુ કર્યો નથી.
Visit Saurashtra Kranti Homepage here
સરકારી દસ્તાવેજીકરણ સહિતની કામગીરી માટે સ્ટેમ્પ લગાડવાની જરૂરિયાત ન રહે અને કામ ઝડપી બને એ માટે બેંકોમાં આવા મશીન વસાવવામાં આવ્યા હતા. પરંતુ સરકારી પરવાનો રીન્યુ ન થતા અને મશીનો બંધ થઇ જતા લોકોને ભારે હાલાકી થઇ રહી છે. દસ્તાવેજ માટે લોકોને ઈ-સ્ટેમ્પિંગ કરાવવું પડી રહ્યું છે. મશીનો બંધ થવાથી કાળાબજાર વધી જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
1લી જાન્યુઆરીથી બેંકોના ઘણાબધા નિયમો પણ બદલાયા છે. લોકર અંગેના નિયમ લોકોએ જાણવા જોઈએ. રિઝર્વ બેંકના આદેશથી લોકરના નવા નિયમ લાગુ થતા ગ્રાહકોને જ સૌથી વધુ ફાયદો થશે. જો લોકરમાં રાખવામાં આવેલા સામાન કોઈ નુકશાન થાય તો બેંકે તેની ભરપાઈ કરવી રહેશે. તેવો નિયમ અમલમાં આવી ગયો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here