આજે વિશ્વ પ્રવાસન દિવસ : ગુજરાત આવતા વિદેશી પ્રવાસીઓની પ્રથમ પસંદગી અમદાવાદ

આજે વિશ્વ પ્રવાસન દિવસ : ગુજરાત આવતા વિદેશી પ્રવાસીઓની પ્રથમ પસંદગી અમદાવાદ
આજે વિશ્વ પ્રવાસન દિવસ : ગુજરાત આવતા વિદેશી પ્રવાસીઓની પ્રથમ પસંદગી અમદાવાદ
યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સ્થાન પામેલું અમદાવાદ શહેર ગુજરાત આવતા વિદેશી સહેલાણીઓની પ્રથમ પસંદગી બન્યું છે. વર્ષ-2022માં 3.63 લાખ સહેલાણીઓએ અમદાવાદનો ભવ્ય વારસો નિહાળ્યો છે. એટલું જ નહીં, વર્ષ-2023માં માત્ર 8 મહિનામાં જ 3.53 લાખ પ્રવાસીઓ અમદાવાદની મુલાકાત લઈ ચૂક્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

રિવરફ્રંટ ખાતે આવતા પ્રવાસીઓની સંખ્યા 1 લાખને પાર પહોંચી

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રંટ ખાતે આવતા પ્રવાસીઓની સંખ્યા 1 લાખને પાર પહોંચી છે, તો સોમનાથ, અંબાજી તથા દ્વારકા જેવા ધાર્મિક-આધ્યાત્મિક સ્થળો પણ વિદેશીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે. કોરોનાના પગલે ઠપ્પ થયેલા પ્રવાસન ઉદ્યોગે બે વર્ષમાં મોટી હરણફાળ ભરી છે. આંકડાઓ મુજબ વર્ષ-2021માં માત્ર 11,319 વિદેશી પ્રવાસીઓ ગુજરાત આવ્યા હતા, જેમની સંખ્યા વર્ષ-2022માં 17.77 લાખને આંબી ગઈ હતી. બીજી તરફ વર્ષ-2023ના પ્રથમ 8 મહીનામાં જ 15.40 લાખ વિદેશી પ્રવાસીઓ ગુજરાતની મુલાકાત લઈ ચુક્યા છે. એક અંદાજ મુજબ ડિસેમ્બર-2023 સુધી ગુજરાતની મુલાકાતે આવનાર વિદેશી પ્રવાસીઓનો આંકડો 20લાખ સુધી પહોંચી શકે છે.નોંધનીય છે કે, વર્ષ-2022માં ભારત આવનાર વિદેશી પ્રવાસીઓની સંખ્યા 85 લાખ 90 હજારથી વધુ હતી, જેમાં ગુજરાતમાં આવેલા વિદેશી પ્રવાસીઓની સંખ્યા 17.77 લાખથી વધુ હતી. એટલે કે, ભારતમાં આવનાર વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાતનો હિસ્સો 20.17 ટકા સાથે સૌધી વધુ રહ્યો છે.

સમગ્ર વિશ્વમાં 27મી સપ્ટેમ્બરના રોજ જ્યારે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી થવાની છે, ત્યારે ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન લગભગ ઠપ પડી ગયેલા પ્રવાસન ઉદ્યોગે વર્ષ 2022માં મોટી હરળફાળ ભરી છે. રાજ્યમાં વિદેશી પ્રવાસીઓ માટે ઉપલબ્ધ પૌરાણિક, ઐતિહાસિક, હેરિટેજ તથા ધાર્મિક-આધ્યાત્મિક, પર્યાવરણીય અને સાહસિક પ્રવાસન સ્થળોમાં થઈ રહેલા વધારા તથા રાજ્ય સરકાર દ્વારા ઊભી કરાયેલી વ્યવસ્થાઓના પગલે વિદેશી પ્રવાસીઓ માટે ગુજરાત પ્રથમ પસંદગીનું સ્થળ બનીને ઉપસી રહ્યું છે.

પ્રવાસીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ (ટીસીજીએલ) દ્વારા ગુજરાતમાં આવતા પ્રવાસીઓના ટ્રૅકિંગ માટે AATITHYAM પોર્ટલ લૉન્ચ કરવામાં આવ્યું છે. આવું કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.  રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને તેના બોલતા પુરાવા આતિથ્યમ્ પોર્ટલના આંકડાઓ છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં વર્ષ 2021 કરતાં 2022માં આવેલા વિદેશી પ્રવાસીઓની સંખ્યા ભારે વધારો થયો છે. વર્ષ 2021માં માત્ર 11,319 પ્રવાસીઓએ ગુજરાતની સહેલ માણી હતી, પરંતુ કોરોના કાળ સમાપ્ત થતાં જ ગુજરાત આવેલ વિદેશી પ્રવાસીઓની સંખ્યા લગભગ 157 ગણી વધી 17 લાખ 77 હજાર 215 થઈ ગઈ.

રાજ્યમાં વિદેશી પ્રવાસીઓનો ઘસારો સતત વધી રહ્યો છે. વર્ષ 2022માં 12 મહીનામાં 17.77 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા હતાં કે જેની સરખામણીમાં વર્ષ 2023માં પ્રથમ આઠ મહીના એટલે કે ઑગસ્ટ-2023 સુધી જ આ આંકડો 15.40 લાખ પર પહોંચી ગયો છે. આના પરથી અનુમાન લગાવવામાં આવે છે કે ડિસેમ્બર સુધી રાજ્યમાં વર્ષ 2023માં આવનાર વિદેશી પ્રવાસીઓની સંખ્યા 20 લાખ સુધી પહોંચી શકે છે.ચાલુ વર્ષે પણ વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઉછાળો

રાજ્યના ટૉપ મોસ્ટ પ્રવાસન સ્થળોમાં અમદાવાદ મોખરે

રાજ્યમાં વિદેશી પ્રવાસીઓના મનપસંદ ટૉપ મોસ્ટ પ્રવાસન સ્થળોમાં વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ ટોચના સ્થાને છે. ટીસીજીએલ તરફથી અપાયેલ આંકડા મુજબ વર્ષ 2023માં અત્યાર સુધી (ઑગસ્ટ-2023) સુધી કુલ 15.40 લાખ વિદેશી પ્રવાસીઓ આવ્યા હતાં. જેમાં વિદેશી સહેલાણીઓનું હૉટ ફેવરિટ સ્થળ રહ્યું વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ. આ ઉપરાંત અંબાજી મંદિર, સોમનાથ મંદિર, દ્વારકા મંદિર તરફ પણ વિદેશી પ્રવાસીઓનો સારો એવો ઝોક રહ્યો.

Read Saurashtra Kranti E-Paper here

અમદાવાદનું નજરાણું બન્યું સાબરમતી રિવરફ્રન્ટ

વર્ષ 2023માં અત્યાર સુધી (ઑગસ્ટ 2023) ગુજરાત આવેલા કુલ 15.40 લાખ વિદેશી પ્રવાસીઓમાં સૌથી વધુ 3 લાખ 53 હજાર પ્રવાસીઓએ હેરિટેજ શહેર અમદાવાદની મુલાકાત લીધી છે, જ્યાં વર્ષ 2022ના 3.63 લાખ પ્રવાસીઓ આવ્યા હતાં. આ આંકડા પરથી અંદાજો લગાવી શકાય કે વર્ષ 2023માં ડિસેમ્બર સુધી અમદાવાદ આવનાર વિદેશી પ્રવાસીઓનો આંકડો ગત વર્ષના 3.63 લાખના આંકડાને આંબી જશે. 
તેવી જ રીતે વર્ષ સાબરમતી રિવરફ્રન્ટ પણ વિદેશી પ્રવાસીઓ માટે અમદાવાદનું નજરાણું બન્યુ છે, કારણ કે ગત વર્ષની સરખામણીમાં અહીં આવતા વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ 2022માં 67 હજાર વિદેશી પ્રવાસીઓએ સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લીધી હતી.

જ્યારે વર્ષ 2023માં ઑગસ્ટ સુધી આ આંકડો 1 લાખ 7 હજાર 969 ઉપર પહોંચી ગયો છે. એટલે કે સાબરમતી રિવરફ્રન્ટની વિદેશીઓમાં લોકપ્રિયતામાં બમણો વધારો થયો છે. યાત્રાધામો તથા સ્ટૅચ્યૂ ઑફ યુનિટ ખાતે પણ પહોંચ્યા પ્રવાસીઓરાજ્યના અન્ય મહત્વના પ્રવાસન સ્થળોમાં અંબાજી, દ્વારકા, સોમનાથ, સ્ટેચ્યૂ ઑફ યુનિટી જેવા પ્રવાસન સ્થળો પણ વિદેશી સહેલાણીઓ માટે પસંદગીના સ્થળો બની રહ્યા છે.

વર્ષ 2022 તથા 2023 (ઑગસ્ટ સુધી) ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લેનારાઓની સંખ્યા

પ્રવાસન સ્થળ – વર્ષ 2022 – વર્ષ 2023 (ઑગસ્ટ સુધી) અમદાવાદ (હેરિટેજ સિટી) – 6,63,000 – 3,53,000સાબરમતી રિવરફ્રન્ટ – 67,000 – 1,07,969અંબાજી મંદિર – 1,53,000 – 77,225સોમનાથ મંદિર – 1,04,000 – 73,121દ્વારકા મંદિર – 75,000 – 62,915કાંકરીયા લેકફ્રન્ટ – 49,000 – 48,656સુરત શહેર – 61,000 – 46,656પાવાગઢ મંદિર – 44,000 – 39,971સ્ટૅચ્યુ ઑફ યુનિટી – 22,000 – 25,291ગાંધી આશ્રમ – 33,000 – 13,800શિવરાજપુર બીચ – 200 – 8,656અડાલજની વાવ – 240 – 2,498મોઢેરા સૂર્ય મંદિર – 12 – 1,074રાણી કી વાવ (પાટણ) – 200 – 785

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here