રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જૂનાગઢની મુલાકાતે છે. જૂનાગઢમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. ત્યારે જાણીએ ભૂપેન્દ્ર પટેલનો સમગ્ર કાર્યક્રમમાં ઉપરકોટના કિલ્લાનું કરાશે લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે 10 વાગ્યે તેઓ પીટીસી ખાતે પહોંચશે.
Visit Saurashtra Kranti Homepage here
ત્યાર બાદ તેઓ ગિરનાર અંબાજી મંદિરે દર્શનાર્થે જશે. જ્યાં માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવીને આશીર્વાદ લેશે. ત્યારબાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢની શાન ગણતા અને ઐતિહાસિક વારસો ધરાવતા ઉપરકોટના કિલ્લાનું લોકાર્પણ કરશે. મહાબત મકબરાનું લોકાર્પણ કરાશે. ત્યારબાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ ટાઉનહોલ ખાતે વિવિધ લોકાર્પણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમના હસ્તે જૂનાગઢ મનપાના કરોડોની રકમના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. મહિલા મોરચાના કાર્યક્રમમાં હાજરી આપશે.જે બાદ બગડુ ખાતે જિલ્લા સહકારી બેંકના કાર્યક્રમ અને મહિલા મોરચા-અનુસૂચિત જાતિ મોરચાના કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત રહેશે. જે બાદ તેઓ ગાંધીનગર જવા રવાના થશે.
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here