બોયફ્રેન્ડ ઝહીર સાથે સોનાક્ષીના લગ્ન પર શત્રુઘ્નએ આપી કંઈક આવી પ્રતિક્રિયા

બોયફ્રેન્ડ ઝહીર સાથે સોનાક્ષીના લગ્ન પર શત્રુઘ્નએ આપી કંઈક આવી પ્રતિક્રિયા
બોયફ્રેન્ડ ઝહીર સાથે સોનાક્ષીના લગ્ન પર શત્રુઘ્નએ આપી કંઈક આવી પ્રતિક્રિયા

બોલિવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા ટૂંક સમયમાં જ પોતાના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહી છે. લગ્ન આ મહિનાની 23 તારીખે છે. ત્યાં જ જ્યારે તેમના પિતા શત્રુધ્ન સિન્હાને તેના વિશે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તે આ વિશે કંઈ નથી જાણતા.

બોલિવુડમાં એવી ચર્ચા થઈ રહી છે કે શત્રુધ્ન સિન્હાની દિકરી સોનાક્ષી સિન્હા લગ્ન કરવાની છે. 10 જૂને એ ખબર આવી કે સોનાક્ષી પોતાના રૂમર્ડ બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલની સાથે આ મહિને 23 જૂને લગ્ન કરવાની છે. એક તરફ જ્યાં સોનાક્ષી અને ઈકબાલની તરફથી હાલ કોઈ પુષ્ટી નથી કરવામાં આવી તો ત્યાં જ તેમના પિતા શત્રુધ્નનું કહેવું છે કે તેમને હાલ આ વિશે કોઈ જાણકારી નથી.

શત્રુધ્નનનો જવાબ

શત્રુધ્નનું કહેવું છે કે આજકાલ બાળકો પરમિશન ક્યાં લે છે તે તો બસ જાણકારી આપે છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, “હું હાલ દિલ્હીમાં છું. ઈલેક્શન રિઝલ્ટ્સ બાદ હું અહીં આવી ગયો હતો. મેં પોતાની દિકરીની પ્લાનિંગ વિશે કોઈ સાથે વાત નથી કરી. જો તમારો સવાલ છે કે શું તેઓ લગ્ન કરી રહ્યા છે? તેનો જવાબ છે કે તેણે મને આ વિશે કંઈ નથી જણાવ્યું. હું પણ એટલું જ જાણું છું જેટલું મીડિયા દ્વારા વાંચ્યું છે. “

બોયફ્રેન્ડ ઝહીર સાથે સોનાક્ષીના લગ્ન પર શત્રુઘ્નએ આપી કંઈક આવી પ્રતિક્રિયા બોયફ્રેન્ડ ઝહીર સાથે સોનાક્ષીના લગ્ન

તેમણે આગળ કહ્યું, “જો તે મને વિશ્વાસમાં લેશે તો હું અને મારી પત્ની કપલને પોતાના આશીર્વાદ આપવા માટે તૈયાર છીએ. અમે હંમેશા તેમની ખુશીઓની કામના કરીએ છીએ.” તેમણે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે સોનાક્ષી પોતાના માટે યોગ્ય નિર્ણય લેશે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here