આ કાર્યવાહી 2020ની એક વિવાદાસ્પદ ટ્વીટના આધારે કરવામાં આવી છે. એક્ટર અને ફિલ્મ-ક્રિટિક કમાલ રાશિદ ખાનને બે વર્ષ જૂના કેસમાં મુંબઈ પોલીસે ધરપકડ કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમને મંગળવારે બોરીવલી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કમાલની મુંબઈ એરપોર્ટથી અટકાયત કરવામાં આવી હતી અને પૂછપરછ પછી તેમની ધરમપકડ કરવામાં આવી છે. કમાલ બે વર્ષ પછી જ મુંબઈ પરત આવી રહ્યા હતા.
કમાલ પર 2020માં યુવા સેનાની કોર કમિટીએ મલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. કમિટીના સભ્ય રાહુલ કનલનો આરોપ હતો કે સ્વર્ગસ્થ એક્ટર ઈરફાન ખાન અને ઋષિ કપૂર વિશે વિવાદાસ્પદ ટ્વીટ કર્યા હતા. આ કેસમાં પોલીસે કમાલ સામે કલમ 294 અંતર્ગત ફરિયાદ નોંધી છે.
![બિગ બ્રેકિંગ KRKની ધરપકડ...! ધરપકડ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
![બિગ બ્રેકિંગ KRKની ધરપકડ...! ધરપકડ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
![બિગ બ્રેકિંગ KRKની ધરપકડ...! ધરપકડ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
KRKએ 202માં ઈરફાન ખાન (29 એપ્રિલ) અને ઋષિ કપૂર (30 એપ્રિલ)નાં નિધન પછી ટ્વીટ કર્યા હતા. એમાં લખ્યું હતું કે મેં થોડા દિવસ પહેલાં જ કહ્યું હતું કે કોરોના ત્યાં સુધી નહીં જાય જ્યાં સુધી એ અમુક ફેમસ લોકોને તેની સાથે નહીં લઈ જાય.
Read About Weather here
ત્યારે મેં નામ નહોતા લખ્યા, કારણ કે લોકો મને ગાળો આપતા, પરંતુ મને પહેલેથી ખબર હતી કે ઋષિ કપૂર અને ઈરફાન જશે. મને એ પણ ખબર છે કે હવે કોનો વારો છે. હું માત્ર તેમને એટલું કહેવા માગું છું કે સર સાજા થઈને જલદી પાછા આવી જજો, નીકળી ના જતા. કેમ કે દારૂની દુકાન માત્ર 2-3 દિવસમાં જ ખૂલવાની છે.
જ્યારે ઋષિ કપૂરને રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે કેઆરકેએ ટ્વીટ કર્યું હતું કે ઋષિ કપૂરને એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here