કાર્તિક આર્યન ખુબ વ્યસ્ત કલાકાર બની ગયો છે. તેની ચાર ફિલ્મો કતારમાં છે.
Visit Saurashtra Kranti Homepage here
તાજતેરમાં તેણે આગામી ફિલ્મ શહઝાદા વિશે જણાવ્યું હતું કે, આ ફિલ્મના અંતિમ દ્રશ્યોનું શુટીંગ કરવાનું કામ ખુબ અઘરૂ રહ્યું હતું. તે કહે છે આ સીનનું કામ પુરુ થયા બાદ મેં સતત દસ કલાકની ઉંઘ લીધી હતી.
કાર્તિકે સેટ પરનો ફોટો પણ પોસ્ટ કર્યો હતો. જેમાં તેનો ચહેરો નથી દેખાતો, પરંતુ ક્લેપબોર્ડ દેખાય છે. જેના પર ‘શહઝાદા’ લખેલું છે.
![ફિલ્મના અંતિમ દ્રશ્યોનું શુટીંગ ખુબ અઘરૂ: કાર્તિક આર્યન શુટીંગ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર મુકીને કાર્તિક આર્યને કેપ્શન આપી હતી કે મારા જેવો અનિદ્રાથી ગ્રસ્ત આ અદ્દભુત ક્લાઇમેક્સનું શુટીંગ પુરૂ કર્યા બાદ ૧૦ કલાક સુધી સુતો રહ્યો. શહઝાદાની આ એક્શન સીક્વન્સ મેં પહેલી વખત કરી હતી.
Read About Weather here
મારા માટે એ ખુબ અઘરું અને નવું હતું. તમને સૌને આ ફિલ્મ દેખાડવા માટે હું આતુર છું. ૨૦૨૩ની ૧૦મી ફેબ્રુઆરીએ મારી સૌથી કમર્શિયલ એવી આ ફિલ્મ રિલીઝ થશે. કાર્તિકની બીજી ત્રણ ફિલ્મોમાં ફ્રેડી, સત્યપ્રેમ કી કથા અને અન્ય એક સામેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here