નુસરત ‘અજીબ દાસ્તાન્સ’ને લીધે ફરી ચર્ચામાં…!

નુસરત ‘અજીબ દાસ્તાન્સ’
નુસરત ‘અજીબ દાસ્તાન્સ’

નુસરતે અજીબ દાસ્તાન્સના ચાર ભાગ પૈકીના ખિલોના નામના ભાગમાં મુખ્ય ભુમિકા નિભાવી છે

એક દસકાથી પણ વધુ સમયથી બોલીવૂડમાં કામ કરી રહેલી નુસરત ભરૂચાએ પોતાની અભિનય ક્ષમતાને આધારે બોલીવૂડમાં ખુબ મજબૂત સ્થાન બનાવી લીધું છે. મોટી ફિલ્મો મેળવતી હિરોઇનોના લિસ્ટમાં નુસરતનું નામ પણ સામેલ છે. તાજેતરમાં આવેલી તેની ફિલ્મ અજીબ દાસ્તાન્સમાં તેનું પાત્ર જોઇ ચાહકો વાહ પોકારી ગયા છે.

Subscribe Saurashtra Kranti here

નૂસરતે અજીબ દાસ્તાન્સના ચાર ભાગ પૈકીના ખિલોના નામના ભાગમાં મુખ્ય ભુમિકા નિભાવી છે. જેમાં તે કામવાળી બાઇના રોલમાં જોવા મળી છે. તે ઘરમાં કચરા પોતા કરે છે, રસોઇ બનાવે છે અને બીજા બધા જ કામ કરે છે. આ પાત્ર માટે નૂસરતે પારકા ઘરના કામ કરતી મહિલાઓમાંથી પ્રેરણા લીધી હતી.

Read About Weather here

જો કે નૂસરતના પરિવારજનો કહે છે કે રસોઇની બાબતમાં નુસરત પર ભરોસો કરાય તેમ નથી. તેને બનેલુ ભોજન માત્ર ગરમ કરવાનું કહેવામાં આવે તો પણ તે બાળી નાંખે તેમ છે. જો કે નૂસરત કહે છે મારો આ ફિલ્મનો અભિનય જોયા પછી મારા પરિવારજનો મારા પ્રત્યેની આ ધારણામાં ફેરફાર કરશે. નૂસરતની આગામી ફિલ્મોમાં હુડદંગ, છોરી અને રામસેતુ સામેલ છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here