કેન્સર સામે જંગ જીત્યાનું સંજય દત્તે કર્યું એલાન

સંજય દત્ત છેલ્લા કેટલાક સમયથી ફેફસાના કેન્સરથી ઝઝુમી રહૃાો હતો, પરંતુ સંજય દત્તે કેન્સરના આ યુદ્ધમાં જીત મેળવી લીધી છે. જી હા, સંજય દત્તનું કેન્સર ઠીક થઈ ગયું છે અને તેણે ખુદ આ વાતની જાહેરાત કરી છે. સંજયના જુડવા બાળકોનો આજે જન્મદિવસ છે અને આ અવસર પર સંજય દત્તે ખુશખબર પોતાના ફેન્સ સાથે શેર કરી છે. પોતાની આ જંગમાં તેનો સાથ આપવા માટે અને તેની સાથે રહેવા માટે સંજયે તમામનો આભાર માન્યો છે. સંજય દત્તે લખ્યું છે કે,

‘છેલ્લા કેટલાક અઠવાડિયા મારા અને મારા પરિવાર માટે ઘણા મુશ્કેલીઓથી ભરેલા રહૃાા હતા, પરંતુ એક કહેવત છે કે લડાઈ માટે ઈશ્ર્વર પણ બહાદુર સૈનિક જ પસંદ કરે છે. અને આ જે, મારા બાળકોના જન્મદિવસ પર મને જણાવતા ખુશી થઈ રહી છે કે હું આ જંગમાં જીતી ગયો છું અને મારા પરિવારને સૌથી જરૂરી અને કિંમતી ભેટ તરીકે મારી તંદુરસ્તી અને મારું સ્વાસ્થ્ય આપી રહૃાો છું. તેમણે આગળ લખ્યું કે, આ બધું તમારા સાથ વગર ના થઈ શક્યું હોત. હું મારા પરિવાર, દોસ્તો અને તમામ ફેન્સનો આભારી છું જે આ સંપૂર્ણ સફરમાં મારી સાથે ઉભા છે. તમારા બધાની પ્રાર્થનાઓ અને સાથ માટે આભાર.

હું કોકિલાબેન હૉસ્પિટલની ડૉક્ટર સેવંતી અને તેમની સંપૂર્ણ ટીમ અને હૉસ્પિટલના તમામ કર્મચારીઓનો દિલથી આભાર માનું છું જેમણે મારું આટલું ધ્યાન રાખ્યું. આભાર. હાલમાં જ સંજય દત્તની તબિયત ઘણી ખરાબ હોવાના સમાચાર આવી રહૃાા હતા. તેમના પરિવારના એક નજીકના વ્યક્તિએ કહૃાું કે, એ પ્રકારના સમાચાર હતા કે સંજય દત્તનું જીવન ૬ મહિના જ છે, પરંતુ એવું કંઇ નથી. તેમણે જણાવ્યું કે, તેઓ સારવાર દરમિયાન ઝડપથી રિકવર કરી રહૃાા છે, તેમના પર ઝડપથી સારવારની અસર થઈ રહી છે.