કરુણાંતિકા: રામોજી ફિલ્મ સિટીના ફાઉન્ડર રામોજી રાવનું નિધન થયું

કરુણાંતિકા: રામોજી ફિલ્મ સિટીના ફાઉન્ડર રામોજી રાવનું નિધન થયું
કરુણાંતિકા: રામોજી ફિલ્મ સિટીના ફાઉન્ડર રામોજી રાવનું નિધન થયું

રામોજી રાવે 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા આજે સવારે હૈદરાબાદની એક હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું.આ સમાચારથી ફેન્સ અને ઘણા સેલેબ્સ ચોંકી ગયા છે.

હોસ્પિટલમાં 5 જૂનનાં રોજ દાખલ થયા હતા

રામોજી રાવ હાઈ બ્લડ પ્રેશર અને શ્વાસ ફૂલવાની સમસ્યા બાદ 5 જૂનનાં રોજ હૈદરાબાદનાં નાનાકરામગુડાની સ્ટાર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યારે ડોકટરોએ રામોજીને બચાવવાની ખૂબ જ કોશિષ કરી હતી.તેઓને આઈસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. છતાં પણ તેમની હાલત બગડતી જ ગઈ હતી. અને આજે સવારે તેઓ હંમેશાને માટે આ દુનિયાને અલવિદા કહી દીધી.રામોજીએ ઘણા સમય પહેલા આંતરડાનાં કેન્સનું સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું.

કોણ હતા રામોજી રાવ ?

રામોજીએ સાધારણ શરૂઆતથી ખૂબ જ મોટી સફળતા ખેડી છે. 16 નવેમ્બર 1936 નાં રોજ આંધ્ર પ્રદેશનાં કૃષ્ણા જીલ્લાનાં પેડાપારૂપુડી ગામમાં એક ખેડૂત પરિવારમાં રામોજી રાવનો જન્મ થયો હતો. રામોજી રાવે દુનિયાનો સૌથી મોટો થીમ પાર્ક અને ફિલ્મ સ્ટૂડિયો, રામોજી ફિલ્મ સીટી બનાવી હતી. જે બાદ બિઝનેસ એમ્પાયરમાં માર્ગાદારસી ચિટ ફંડ, રામાદેવી પબ્લિક સ્ટૂલ, પ્રિયા ફ્રૂડ્સ, કલંજલિ,ઈનાડું ન્યૂઝ પેપર, ઈટીવી નેટવર્ક, ઉષાકિરણ મૂવીઝ, મયૂરી ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર્સ અને ડોલ્ફિન ગ્રુપ ઓફ હોટલ્સનો સમાવેશ થાય છે.

રામોજી રાવે તેલુગુ રાજનીતિ પર મહત્વપૂર્ણ પ્રભાવ પાડ્યો હતો. કેટલાક રાજ્ય અને રાષ્ટ્રીય નેતાઓ સાથે તેમને ખૂબ જ સારા સબંધ હતા. જેઓ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર તેમની સલાહ લેતા હતા.ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ, પત્રકારિત્વ, સાહિત્ય અને શિક્ષામાં તેમનું ખૂબ જ યોગદાન રહ્યું છે. ભારત સરકારે તેમને 2016 માં પદ્મ વિભૂષણથી સમ્માનિત કર્યા હતા.