![રશિયાના શહેરમાં એક ચર્ચ પર અંધાધૂંધ ગોળીબાર થયો:હુમલામાં 15 લોકોના મોત:પાદરીનું ગળુ કાપીને હત્યા કરાઈ રશિયાના શહેરમાં એક ચર્ચ પર અંધાધૂંધ ગોળીબાર થયો:હુમલામાં 15 લોકોના મોત:પાદરીનું ગળુ કાપીને હત્યા કરાઈ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
રશિયાના દક્ષિણ પ્રાંતના ડર્બેન્ટ શહેરમાં એક ચર્ચ પર અંધાધૂંધ ગોળીબાર સહિતનો હુમલો થતા 15 લોકોના મોત થયા છે. તેમાં પોલીસ અધિકારી, પાદરી સહિતના લોકોનો સમાવેશ થતો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. આતંકવાદીઓએ પાદરીનું ગળુ કાપીને હત્યા કરી હતી.
![રશિયાના એક ચર્ચ પર અંધાધૂંધ ગોળીબાર થયો:હુમલામાં 15 લોકોના મોત:પાદરીનું ગળુ કાપીને હત્યા કરાઈ ચર્ચ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
રશિયાના દક્ષિણ પ્રાંત દાગેસ્તાનમાં ખ્રિસ્તીઓ અને યહૂદીઓના ધર્મસ્થળ પર અત્યાધુનિક હથિયારોથી અંધાધૂંધ ગોળીબાર કર્યાનો અહેવાલ મળ્યો છે. ફાયરિંગ દાગેસ્તાનના ડર્બેન્ટ શહેરમાં થયું છે. દાગેસ્તાનના ગવર્નરે કહ્યું કે હુમલાખોરોએ ફાયરિંગમાં 15થી વધુ પોલીસકર્મીઓ અને અનેક નાગરિકોની હત્યા કરી દીધી હતી.
આ પહેલા મોડી રાત્રે તેને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. ગોળીબારમાં ચર્ચના પાદરી અને એક પોલીસકર્મી સહિત સાત લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. હવે મૃત્યુઆંક વધીને 15 થયો છે. હુમલાખોરો વિરૂધ્ધ જવાબી કાર્યવાહી દરમિયાન રશિયન સુરક્ષા દળોએ બે હુમલાખોરોને ઠાર માર્યા હતા.હુમલા અંગે દાગેસ્તાન પબ્લિક મોનિટરિંગ કમિશનના શમિલ ખદુલેવે જણાવ્યું હતું કે, ચર્ચ પર થયેલા હુમલામાં પાદરી અને છ અધિકારીઓ માર્યા ગયા હતા.
![રશિયાના એક ચર્ચ પર અંધાધૂંધ ગોળીબાર થયો:હુમલામાં 15 લોકોના મોત:પાદરીનું ગળુ કાપીને હત્યા કરાઈ ચર્ચ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
અહેવાલો અનુસાર, ડર્બેન્ટના ચર્ચમાં માર્યા ગયેલા પાદરીની ઓળખ 66 વર્ષીય ફાધર નિકોલે તરીકે થઈ છે. આતંકવાદીઓએ તેનું ગળું કાપીને નિર્દયતાથી હત્યા કરી હતી. ચર્ચની સુરક્ષા માટે તૈનાત સુરક્ષા ગાર્ડની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગાર્ડ પાસે એક જ પિસ્તોલ હતી.આતંકવાદી હુમલા પછી યહૂદી મંદિરના એક માળે બારીઓમાંથી મોટી જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી. ધુમાડાના ગોટેગોટા પણ જોવા મળ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે રવિવારે ત્રણ સ્થળોએ હુમલા કરવામાં આવ્યા હતા. માખચકલા શહેરમાં પોલીસ ટ્રાફિક સ્ટોપ પર હુમલાના અહેવાલો છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલામાં 12 અધિકારીઓ પણ ઘાયલ થયા હતા.
![રશિયાના એક ચર્ચ પર અંધાધૂંધ ગોળીબાર થયો:હુમલામાં 15 લોકોના મોત:પાદરીનું ગળુ કાપીને હત્યા કરાઈ ચર્ચ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
સરકારી તંત્રના જણાવ્યા અનુસાર ત્રણેય સ્થળો પર હુમલાની રીત અને સમય જોતા એવું લાગે છે કે હુમલાખોરોએ પ્લાનિંગ સાથે હુમલા કર્યા હતા. ડર્બેન્ટ શહેર પર હુમલો થયો તે જ સમયે લગભગ 120 કિમી દૂર માખચકલામાં ટ્રાફિક પોલીસ ચોકી પર પણ ગોળીબાર થયો હતો. આ હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ થયાના પણ સમાચાર છે.
![રશિયાના એક ચર્ચ પર અંધાધૂંધ ગોળીબાર થયો:હુમલામાં 15 લોકોના મોત:પાદરીનું ગળુ કાપીને હત્યા કરાઈ ચર્ચ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
Visit Saurashtra Kranti E-paper here