સુરતમાં ફરીએકવાર સામુહિક આપઘાતની ઘટના બની હોવાની આશંકા ઉભી થઇ જયારે જહાગીરપુરામાં ચાર લોકોની ઘરમાંથી લાશ મળી આવી હતી. આ ચાર લોકોએ સામૂહિક આપઘાત કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ અગાઉ ઓક્ટોબર 2023 માં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી જેમાં એકજ પરિવારના ૭ લોકોએ જીવન ટૂંકાવ્યું હતું જેમાં નાના બાળકોનો પણ સમાવેશ થયો હતો.
![જહાગીરપુરામાં ઘરમાંથી પરિવારના 4 સભ્યોની લાશ મળી આવી… લાશ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
એક જ પરિવારના 4 લોકોની લાશ ઘરમાંથી મળી આવી હોવાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળ તરફ દોડી ગયા હતા. રાજન રેસિડન્સીમા રહેતા પરિવારે સામુહિક આપઘાત કર્યો હોવાની ચર્ચાઓ ધ્યાને આવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે જોકે ઘટનાનું કારણ હજુ અકબંધ છે.આ ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
સુરતમાં 4 વૃદ્ધોના મોતની ઘટનાએ પોલીસતંત્રને દોડતું કર્યું છે. આ ઘટના આપઘાત કે ફૂડ પોઈઝનિંગ છે તે તપાસ નો વિષય બન્યો છે. રાતે ભોજન કર્યા બાદ 4 વૃદ્ધો સૂઈ ગયા હતા જે સવારે ઉઠ્યા ન હતા. એક પરિચિત સવારે નાસ્તો આપવા ગયા ત્યારે દરવાજો ખોલવામાં આવ્યો ન હતો. પોલીસને જાણ કરી ધ્વજો તોડવામાં આવતા 4 લોકોની લાશ મળી આવી હતી.
Visit Saurashtra Kranti E-paper here