આજથી અમરનાથ યાત્રા શરૂ થઈ છે ત્યારે કાશ્મીરમાં હાઈટેક ઉપકરણો સાથે કમાન્ડો અને સ્નાઈપરો તૈનાત કરાયા છે અને મજબૂત સુરક્ષા ગ્રીડની સ્થાપના કરાઈ છે.
![આજથી અમરનાથ યાત્રા શરૂ:આતંકીઓ પર નજર રાખવા હાઈટેક ઉપકરણો સાથે કમાન્ડો અને સ્નાઈપરો તૈનાત કરાયા... હાઈટેક](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
પુલીસ મહાનિરીક્ષક (આઈજીપી) કાશ્મીર વી.કે.બિરદીએ જણાવ્યું હતું કે હાલમાં જ કેટલીક આતંકી ઘટનાઓએ રાજયનો માહોલ બગાડવાની કોશિશ કરવામાં આવી હતી. આવા અનેક ઈનપુટ મળ્યા બાદ મજબૂત રણનીતિ બનાવવામાં આવી છે.અમરનાથ યાત્રા સુરક્ષિત બનાવવા માટે જમ્મુ-કાશ્મીર પોલીસે સુરક્ષા એજન્સીઓ સાથે મળીને મજબૂત સુરક્ષા ગ્રીડ સ્થાપિત કરી છે.
![આજથી અમરનાથ યાત્રા શરૂ:આતંકીઓ પર નજર રાખવા હાઈટેક ઉપકરણો સાથે કમાન્ડો અને સ્નાઈપરો તૈનાત કરાયા... હાઈટેક](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
આઈજીપીએ વધુમાં જણાવ્યું હતું કે આ વખતે અમરનાથ યાત્રાના બન્ને રૂટો પર વિશેષ મહારાત મેળવેલછે. અમરનાથ યાત્રા માટે હાઈટેક સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. જેમાં ડ્રોન, સીસીટીવી, યુએવી, સ્નાઈપર વગેરે લગાવાઈ રહ્યા છે.
![આજથી અમરનાથ યાત્રા શરૂ:આતંકીઓ પર નજર રાખવા હાઈટેક ઉપકરણો સાથે કમાન્ડો અને સ્નાઈપરો તૈનાત કરાયા... હાઈટેક](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
Visit Saurashtra Kranti E-paper here