સુરત-રાજકોટમાં ઈન્કમટેકસનું દરોડા ઓપરેશન:ડાયમંડ-જ્વેલર્સ સાથે સંકળાયેલા 3 ગ્રુપના 35થી વધુ નિશાન

સુરત-રાજકોટમાં ઈન્કમટેકસનું દરોડા ઓપરેશન:ડાયમંડ-જ્વેલર્સ સાથે સંકળાયેલા 3 ગ્રુપના 35થી વધુ નિશાન
સુરત-રાજકોટમાં ઈન્કમટેકસનું દરોડા ઓપરેશન:ડાયમંડ-જ્વેલર્સ સાથે સંકળાયેલા 3 ગ્રુપના 35થી વધુ નિશાન
પાર્થ ઓર્નામેન્ટસ, તીર્થ-અક્ષર ડાયમંડ તથા કાંતિલાલ જવેલર્સનાં 30 જેટલા સ્થળોએ કાર્યવાહી: દરોડાથી કરચોરી ખુલવાની આશંકા હીરા ઉદ્યોગમાં સન્નાટોનવરાત્રી-દિવાળીનાં તહેવારો પૂર્વે આવકવેરા વિભાગ ફરી એક વખત ત્રાટકયુ છે અને સુરત-રાજકોટમાં 30 જેટલા સ્થળોએ સામુહીક દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખળભળાટ સર્જાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

આવકવેરા વિભાગનાં ટોચના સુત્રોએ જણાવ્યું છે કે સુરતના ડાયમંડ ઉદ્યોગમાં મોટુ નામ ધરાવતા પાર્થ ઓર્નામેન્ટસ તથા તીર્થ ડાયમંડ ગ્રુપ પર આજે સવારથરી મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. માલિક-ભાગીદારોની ઓફીસ-નિવાસસ્થાન તથા ધંધાકીય વ્યવહારો ધરાવતાં 28 થી 30 સ્થાનોને નિશાન બનાવવામાં આવ્યા છે.આ ડાયમંડ પેઢીનાં સોફટવેર ડેવલપમેન્ટનુ કામ રાજકોટની કંપની સંભાળતી હોવાથી રાજકોટમાં પણ બે સ્થળોએ તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતમાં હીરા ઉદ્યોગનાં મોટા માથા પર દરોડાની વાત ફેલાતાની સાથે જ ટોચના ધંધાર્થીઓમાં દોડધામ મચી જવા સાથે ફફડાટ ફેલાયો હતો. હીરા ઉદ્યોગમાં કેટલાંક વખતથી મંદી છે. નવરાત્રી-દિવાળીના તહેવારોમાં સીઝન ખુલવાનો આશાવાદ છે તેવા સમયે જ ઈન્કમટેકસ ત્રાટકતા ખળભળાટ સર્જાયો છે. સુરત ઈન્વેસ્ટીગેશન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા

આ દરોડા ઓપરેશનમાં અમદાવાદ તથા રાજકોટથી પણ અધિકારીઓની ટીમોને દોડાવવામાં આવી હતી. રાજકોટથી પણ બે ટીમો દરોડામાં સામેલ થઈ છે. ઉપરાંત રાજકોટમાં પણ બે સ્થળોએ અધિકારીઓ ત્રાટકયા છે. સુત્રોના કહેવા પ્રમાણે ડાયમંડનાં ધંધાકીય વ્યવહારો ઉપરાંત બન્ને ગ્રુપનાં રીયલ એસ્ટેટનાં વ્યવહારો દર્શાવતાં દસ્તાવેજો પણ મળી આવ્યા છે. દરોડામાં જંગી રકમની કરચોરી ખુલવાની આશંકા છે. સુત્રોએ કહ્યું કે ડાયમંડ ગ્રુપ ઉપરાંત જવેલરી સાથે સંકળાયેલ કાંતિલાલ જવેલર્સ પર પણ આવકવેરા કાફલો ત્રાટકયો છે.સુરતમાં ઈન્કમટેક્સ વિભાગે મોટુ સર્ચ ઓપરેશન હાથ ધરતા ત્રણ ગ્રુપના 35થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. ડાયમંડ અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ત્રણ ગ્રુપ પર દરોડા પાડતા જ્વેલર્સ નગરીમાં સન્નાટો છવાયો છે. ઈન્કટેક્સ દ્વારા પાર્થ ગ્રુપ, અક્ષર ગ્રુપ અને કાંતિલાલ જ્વેલર્સને ત્યા મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા છે.

Read Saurashtra Kranti E-Paper here

આ મેગા ઓપરેશન માટે 100 કરતા પણ વધુ અધિકારીઓ જોડાયા છે. આ સર્ચ ઓપરેશનમાં ઈન્કમટેક્સને મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે. સુરતમાં ઈન્કમટેક્સ વિભાગે ડાયમંડ અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ત્રણ મોટા ગ્રુપ પર તવાઈ બોલાવી છે અને 100થી વધુ અધિકારીઓ દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ સુરતના જાણીતા પાર્થ ગ્રુપ, અક્ષર ગ્રુપ અને કાંતિલાલા જ્વેલર્સ ગ્રુપને ત્યાં ઈન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યુ છે આ ઈન્કમટેક્ના દરોડાથી જ્વેલર્સ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીમાં ફફડાટ ફેલાયો છે. આ ઉપરાંત સુત્રોમાંથી મળતી  માહિતી મુજબ રાજકોટ ખાતેના બે સ્થળોએ પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here