૧૬ હજાર કિલો સરકારી અનાજ બારોબાર વેચાય તે પહેલા પોલીસે ઝડપ્યું, ૪ની કરી ધરપકડ

અમદાવાદ શહેરમાં ફરિ એક વખત સરકારી અનાજને બારોબાર વેચી દેવાનુ કૌભાંડ સામે આવ્યુ છે. સરકારી અનાજનો જથ્થો એ પણ ૧૬ હજાર કિલો અનાજ બારોબાર વેચાણ થાય તે પહેલા પોલીસે ઝડપી પાડ્યો છે. સાથે સાથે ૪ આરોપીની પણ ધરપકડ કરી છે. જોકે એક મહિલા આરોપી ફરાર છે જેની નરોડા પોલીસ મથકે ગુનો નોંધી શોધખોળ હાથ ધરવામાં આવી છે. ગરીબો માટે સરકાર દ્વારા સસ્તા દરે અપાતુ અનાજ વર્ષોથી કાળા બજારી કરનારા લોકો ગેરકાયદેસર રીતે પચાવી રહૃાા છે. અને તે વાત તંત્રથી પણ અજાણ નથી. તેમ છતા શહેરમાં ફરિ એક વખત સરકારી અનાજને ગેરકાયદે વેચવાનુ કૌંભાંડ સામે આવ્યુ છે. જેમાં સેક્ટર ૨ જેસીપીની સ્ક્વોડે ૧૬ હજાર કિલો અનાજનો જથ્થો કબ્જે કર્યો છે. સાથે ૫ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ૪ આરોપીની ધરપકડ કરી છે. મહત્વનુ છે કે ઘોડા કેમ્પથી નિકળી જે સરકારી જથ્થો શાહીબાગ જવાનો હતો. તે જથ્થો સીધે સીધો નરોડા જીઆઈડીસીમાં આવેલા એક ગોડાઉનમાં પહોંચી ગયો જ્યાથી પોલીસે અનાજનો જથ્થો અને આરોપીને ઝડપી પાડ્યા છે

સેકટર ૨ જેસીપી ગૌતમ પરમારની સ્ક્વોડને બાતમી મળી હતી કે, નરોડા જીઆઇડીસીના ફેઝ-૩માં એક ખાનગી ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે સરકારી અનાજનો જથ્થો લાવવામાં આવ્યો છે. જેની તપાસ કરતા ટ્રક ડ્રાઈવર સુખબીર તોમર, ટ્રક માલિક મદનલાલ તૈલી, ગોડાઉન માલિક મહેશ નાથાણી અને પરષોત્તમ તિવારીની ધરપકડ કરી છે. આરોપીને ઝડપી પુછપરછ કરતા સામે આવ્યુ કે, સરકારી અનાજના ગોડાઉનમાંથી ટ્રક ભરી શાહીબાગ સનરાઇઝ પાર્ક ખાતે ગીતાબેન ચુનારાની સરકારી અનાજની દુકાને લઇ જવાનો હતો. જોકે ટ્રક માલિક મદન તૈલીએ આ જથ્થો ગીતાબેનનાં ત્યાં ઉતારવાની જગ્યાએ ગોડાઉનમાં લાવવા કહૃાું હતું. જેથી આ જથ્થો અહીંયા લાવ્યા હતા. જેથી ગીતા ચુનારા વિરુદ્ધ પણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સેક્ટર ૨ સ્ક્વોડે નરોડા વિસ્તારમાંથી અનાજનો જથ્થો કબ્જે કરતા નરોડા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. જોકે સરકારી દુકાનના માલિક ગીતાબેન અને દૃુકાનના વહીવટદૃાર પરષોત્તમ તિવારીએ ગરીબોનો સરકારી અનાજનો જથ્થો ટ્રક માલિક મદૃન તૈલીને ગમે તે વેપારીને વેચી દેવા કહૃાું હોવાનુ સામે આવ્યુ છે. ત્યારે જોવુ એ રહૃાુ કે, અનાજનુ કૌભાંડ દુકાનદાર સુધી અટકે છે કે સરકારી બાબુની મિલીભગત સામે આવે છે.