મુંબઇ જેવા શહેરમાં ઘર ખરીદવું સહેલું નથી. પરંતુ હાલમાં આંકડાઓને જોતાં આ વર્ષે ઘર ખરીદનારાઓની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. જાન્યુઆરીથી જૂન સુધીમાં ઘર ખરીદનારાઓની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે.
![મુંબઇમાં ઘર ખરીદવું વધુ મુશ્કેલ બન્યું : મુંબઇમાં ઘર લેવા માટે 16 ટકાનો થયેલો વધારો… મુંબઇ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
જાન્યુઆરીથી જુન સુધીમાં 16 ટકાનો વધારો થયો છે. ઘર જ નહીં, ઓફિસને લીઝ પર આપવાની ટકાવારીમાં પણ 79 ટકાનો વધારો થયો છે. ભારતના આઠ શહેરમાં છેલ્લા દસ વર્ષમાં ઘરની ખરીદીની આ ટકાવારી સૌથી ઉંચાઇએ છે. 2024ના છ મહિનાની અંદર દરેક શહેરની એવરેજ ટકાવારીમાં અગિયાર ટકાનો વધારો થયો છે.
![મુંબઇમાં ઘર ખરીદવું વધુ મુશ્કેલ બન્યું : મુંબઇમાં ઘર લેવા માટે 16 ટકાનો થયેલો વધારો… મુંબઇ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
ઇન્ડિયા રિયલ એસ્ટેટ: રેસિડેન્શિયલ એન્ડ ઓફિસ ફોર જાન્યુઆરી થી જુલાઇ રીપોર્ટમાં આ વાત જાહેર કરવામાં આવી છે. આ રિપોર્ટ ગ્લોબલ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ્સ નાઇટ ફ્રેન્ક દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. દિલ્હી-એનસીઆરમાં ઘર ખરીદવાની ટકાવારીમાં ચાર ટકાનો ઘટાડો થયો છે, પરંતુ ઓફિસની ડિમાન્ડ 11.5 ટકા વધી છે.
![મુંબઇમાં ઘર ખરીદવું વધુ મુશ્કેલ બન્યું : મુંબઇમાં ઘર લેવા માટે 16 ટકાનો થયેલો વધારો… મુંબઇ](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
બેંગ્લોરમાં ઘરની ટકાવારીમાં ચાર ટકાનો વધારો અને ઓફિસની ડિમાન્ડમાં 21 ટકાનો વધારો થયો છે. ચેન્નઇમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં બાર ટકાનો વધારો અને ઓફિસ ડિમાન્ડમાં 33 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કલક્તામાં ઘર ખરીદનારાઓમાં 25 ટકાનો વધારો અને ઓફિસની ડિમાન્ડમાં 23 ટકાનો વધારો થયો છે.
ટકાવારીની દ્રષ્ટિએ ભારતમાં કલકત્તામાં સૌથી વધુ લોકો ઘર ખરીદી રહ્યા છે, પરંતુ યુનિટ પર ધ્યાન આપવામાં આવે તો મુંબઇ વાર્ષિક 47,259 યુનિટ સાથે પ્રથમ છે.
Visit Saurashtra Kranti E-paper here