સગાઈ તૂટ્યાના ૯મા જ દિવસે યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

AAM-ADAMI-PARTY
AAM-ADAMI-PARTY

હાલના સમયમાં રાજ્યમાં આપઘાતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહૃાો છે. તેવામાં જામનગરથી એક આપઘાતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જામનગર શહેરમાં સગાઈ તૂટી જવાથી મનમાં લાગી આવતાં યુવતીએ ગળેફાંસો ખાઈ લેતાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

જામનગર શહેરના રાંદલનગરમાં રહેતી મનસ્વીબેન જયેશભાઈ મગલાણી (ઉં-૧૯) નામની યુવતીની સગાઈ છ માસ પહેલાં થઈ હતી. સગાઈ તા. ૨૮-૨ના રોજ તૂટી ગઈ હતી. જેથી તેણીને માઠું લાગી આવતાં તેણીએ ગળેફાંસો ખાતાં પરિવારના સભ્યો જોઈ ગયા હતા.

જેથી તેણીને તાત્કિલક નીચે ઉતારીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતાં પોલીસે લાશનો કબ્જો મેળવી મૃતદેહને પીએમ અર્થે મોકલી દીધો હતો. આ ઘટનાથી પરિવારમાં તેમજ સમાજમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.