વિરમગામ થી લખતર થઈ સુરેન્દ્રનગર જવાના માર્ગને ચાર માર્ગીય કરાશે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સુરેન્દ્રનગર માટે મહત્વની જાહેરાત કરી છે. જેમાં વિરમગામ થી લખતર થઈ સુરેન્દ્રનગર ના ૩૧ કિલોમીટરના માર્ગને ફોરલેન કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ તેના માટે રૂપિયા ૧૨૫ કરોડ પણ મંજુર કરવામાં આવ્યા છે.

સમગ્ર ગુજરાતમાં ટ્રાફિક સમસ્યાને હલ કરવા તેમજ માર્ગ અક્સમાત નિવારવા માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે અન્ડરપાસ તેમજ બ્રીજ બનાવવાની પ્રજાની માંગણીને મંજુરીઓ આપવા આવી છે.

ત્યારે નાયબ મુખ્યમંત્રી દ્વારા વિરમગામ-લખતર થઈ સુરેન્દ્રનગર જવાના માર્ગને ચારમાર્ગીય કરવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. માર્ગને ચારમાર્ગીય કરવા માટે રૂપિયા ૧૨૫ કરોડ મંજુર પણ કરી દેવામાં આવ્યા છે. તેમજ સરકાર દ્વારા ટુક જ સમયમાં ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવનાર છે.