પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારોએ સરકારની સામે ‘ધર્મસંકટની સ્થિતિ છે: નાણામંત્રી

નાણામંત્રી નિર્મલા સીતારમણએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાના પ્રશ્ર્ન પર કહૃાું કે તેઓ દેશના વપરાશકારોની જરૂરિયાતને સમજે છે પરંતુ આ કેસમાં સરકારની સામે ‘ધર્મસંકટની સ્થિતિ છે. તેમણે કહૃાું કે કેટલાંય એવા સંકેત મળી રહૃાા છે જેના પરથી એ સાબિત થાય છે કે અર્થતંત્રમાં સુધારો થઇ રહૃાો છે. નાણાંમંત્રી જે ધર્મસંકટની વાત કરી રહૃાા છે અસલમાં તે એ છે કે પેટ્રોલના ભાવ બજારના હવાલે છે એટલે કે તેની કિંમત હવે ઓઇલ કંપનીઓ નક્કી કરે છે. બીજીબાજુ કોરોના કાળમાં રેવન્યુ કલેકશનમાં ઘટાડો જોતા સરકાર માટે ટેક્સમાં ઘટાડો કરવો પણ ખૂબ જ મુશ્કેલ કામ છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો હિસ્સો કેન્દ્ર અને રાજ્ય સરકારોને ટેક્સમાંથી જ થાય છે. દિલ્હીમાં ૯૧ રૂપિયા પ્રતિ લીટરની આસપાસ જે પેટ્રોલ વેચાઇ રહૃાું છે તેના પર અંદાજે ૫૪ રૂપિયાનો તો ટેક્સ આપવો પડી રહૃાો છે.

આથી કેટલીય બાજુથી માંગ ઉઠી રહી છે કે પેટ્રોલ-ડીઝલ પર ટેક્સીસમાં ઘટાડો કરવો જોઇએ. શુક્રવારના રોજ એક પત્રકાર પરિષદમાં કહૃાું કે અમે ભારતીય યુવાનો પર ફોકસ કરવા માંગતા હતા, જે અમે બજેટમાં કર્યું પણ છે. અમારું બજેટ આવતા ૨૦ વર્ષને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે. શું પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં સામેલ કરાશે? આ પ્રશ્ર્ન પર નિર્મલા સીતારમણે કહૃાું કે આ અંગે જીએસટી કાઉન્સિલ વિચાર કરી શકે છે. તેમણે કહૃાું કે અર્થવ્યવસ્થાની સ્થિતિની વાત કરીએ તો તેના કેટલાંય તબક્કા દેખાઇ રહૃાા છે.

તેમણે કહૃાું કે હું કેટલાંય પક્ષો સાથે વાત કરી રહૃાો છું. મોટાભાગના ઉદ્યોગપતિઓએ કહૃાું કે હવે કારખાનાઓ પૂરી ક્ષમતાથી કામ કરી રહૃાા છે અને હવે તેઓ વિસ્તાર કરવા પર વિચાર કરી રહૃાા છે. નાણાંમંત્રીએ કહૃાું કે હવે ભરતીઓમાં સુધારો થઇ રહૃાો છે. આઇઆઇટી અને આઇઆઇએમનું પણ કહેવું છે કે ભરતીમાં તેજી આવી છે, નોકરીઓના બજારમાં સુધારો થઇ રહૃાો છે. તેમણે કહૃાું કે પ્રવાસી મજૂર પાછા કામ પર ફરી રહૃાા છે, તેનાથી પણ અર્થતંત્રમાં સુધારાના સંકેત મળી રહૃાા છે. તેમણે કહૃાું કે બેક્ધ હવે હોમ લોન દરોમાં ઘટાડો કરી રહૃાા છે.