વિરાટ કોહલી હાલ લંડનમાં છે. તે T20 વર્લ્ડ કપ જીતની ઉજવણીની રાત્રે જ લંડન માટે રવાના થઈ ગયો હતો. કારણકે, તેની પત્ની અને બાળકો પણ ત્યાં જ છે. જોકે, અહીં ભારતમાં તેની રેસ્ટોરન્ટની સામે FIR નોંધવામાં આવી છે. આ મામલો બેંગલોર સ્થિત વિરાટ કોહલીની One8 Commune રેસ્ટોરન્ટ સાથે જોડાયેલો છે, જેને લઈને બેંગલોર પોલીસે ગુનો નોંધ્યો છે.
હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે, પોલીસે કાર્યવાહી કેમ કરી? કેમ બેંગલોર પોલીસે તેમના શહેરના MG રોડ સ્થિત રેસ્ટોરન્ટ સામે FIR કરી છે? તો તેનો જવાબ ત્યાં મોડી રાત્રે થઈ રહેલી એક એવી વસ્તુ સાથે જોડાયેલોછે, જ્યારબાદ આખરે પોલીસે આ પગલું ભરવું પડ્યું. વિરાટ કોહલીની બેંગલોર સ્થિત રેસ્ટોરન્ટ વિશે કાર્યવાહીની જાણકારી શહેરના DCP સેન્ટ્રલ દ્વારા આપવામાં આવી છે.
વિરાટની રેસ્ટોરન્ટ સામે કેમ થઈ FIR? : DCP સેન્ટ્રલે જણાવ્યું કે, તેણે બેંગલોરના ૩-૪ પબ સામે ગુનો નોંધ્યો છે, જેની સામે ફરિયાદ મળી હતી કે, તે રાતના દોઢ વાગ્યા સુધી ખુલ્લા રહે છે. અમને ત્યાંથી લાઉડ મ્યુઝિકની ફરિયાદ મળી હતી. શહેરમાં પબ્સ ખુલ્લા રહેવાનો સમય ફકત રાતના ૧ વાગ્યા સુધી જ છે, ત્યારબાદ નહીં.
વિરાટ કોહલીના રેસ્ટોરન્ટ અને પબની ચેન One8 Commune ના નામે દેશના ઘણાં શહેરોમાં છે. બેંગલોર અને મુંબઈ સિવાય ગયાં વર્ષે વિરાટે ગુરૂગ્રામમાં પણ એક રેસ્ટોરન્ટ આ નામથી ખોલી છે.
Visit Saurashtra Kranti E-paper here