ટાગોરની ખુરશી પર કદી બેઠો નથી : અમિત શાહનો કોંગ્રેસ પર પલટવાર

અશિક્ષિત લોકો દેશ ઉપર બોજા સમાન છે, એ લોકો કદી સારા નાગરિક બની શકે નહીં: અમિત શાહ
અશિક્ષિત લોકો દેશ ઉપર બોજા સમાન છે, એ લોકો કદી સારા નાગરિક બની શકે નહીં: અમિત શાહ

હું નહીં, નહેરૂ અને રાજીવ ગાંધી બેઠા હતા

બંગાળની યાત્રા દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર શાંતિ નિકેતનમાં ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોરની ખુરશી પર બેસવાનો આરોપ લાગ્યો તો આજે શાહે સંસદમાં તેના પૂરાવા સાથે જવાબ આપ્યો છે. ગૃહમંત્રીએ તસવીરો દેખાડીને કહૃાુ કે, તેઓ નહીં પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરૂ અને પછી રાજીવ ગાંધી તે ખુરશી પર બેસી ચુક્યા છે.

તેમણે આગળ કહૃાુ કે, ગૃહમાં વાત કરીએ તો વાત કરતા પહેલા તથ્યોની તપાસ કરવી જોઈએ. કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરી પર નિશાન સાધતા તેમણે કહૃાુ કે, સોશિયલ મીડિયાથી ઉઠીને આપણે અહીં જોઈએ તો ગૃહની ગરિમાને ક્ષતિ પહોંચે છે. શાહે કટાક્ષ કરતા કહૃાુ, ’પરંતુ હું તે માટે તેમને દૃોષી નથી ઠેરવતો, તેમની પાર્ટીનું જે બેકગ્રાઉન્ટ છે, તેના કારણે તેમનાથી ભૂલ થઈ ગઈ. હું તો નથી બેઠો તે ખુરશીમાં, મારી પાસે બે ફોટો છે, જેમાં જવાહરલાલ નહેરૂ તે ખુરશી પર બેઠા છે, જ્યાં ટાગોર બેસતા હતા. બીજો ફટો છે રાજીવ ગાંધીનો, તેઓ ટાગોર સાહેબના સોફા પર આરામથી બેસીને ચા પી રહૃાા હતા.

તેના કારણે તેમના મનમાં ખોટા ખ્યાલ હોઈ શકે છે પરંતુ મારી વિનંતી છે કે રેકોર્ડને સ્પષ્ટ કરવામાં આવે અને હું દાદા (અધીર રંજન ચૌધરી) ની અપીલ પર ગૃહના પટલ પર પણ રાખવા ઈચ્છુ છું કે જેથી આ હંમેશા માટે રેકોર્ડનો ભાગ બને. બીજી વાત, જેગૃહમાં નથી તેનો ઉલ્લેખ અહીં થતો નથી. છતાં મારી પાર્ટીના અધ્યક્ષના નામનો તેમણે ઉલ્લેખ કર્યો. તે ભાષણને મેં સાંભળ્યુ છે, હું આજે પડકાર આપુ છું કે જો નડ્ડા સાહેબ આવુ બોલ્યા હોય તો તે રેકોર્ડ પર રાખો. નડ્ડાજી આવુ કંઈ બોલ્યા નથી, જેવુ તેમણે કાલ કહૃાુ છે.