![ફ્લાઈટના પેસેન્જરોને પણ રઝળવાની વિપદા આવી: ભારતીય ટીમ માટે પેસેન્જર ફ્લાઇટ રદ: એર ઇન્ડિયાએ ન્યૂજર્સી-દિલ્હી જનાર પ્લેન બાર્બાડોસ મોકલ્યું... ફ્લાઈટના પેસેન્જરોને પણ રઝળવાની વિપદા આવી: ભારતીય ટીમ માટે પેસેન્જર ફ્લાઇટ રદ: એર ઇન્ડિયાએ ન્યૂજર્સી-દિલ્હી જનાર પ્લેન બાર્બાડોસ મોકલ્યું...](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ બાર્બાડોસમાં ફસાયેલી ભારતીય ટીમને લઈને એર ઈન્ડિયાની ચાર્ટર્ડ ફ્લાઈટ અંગે એર ઈન્ડિયા પાસેથી રિપોર્ટ માંગ્યો છે. વાસ્તવમાં એવા અહેવાલ સામે આવ્યા છે કે આ ફ્લાઈટ અમેરિકાના ન્યુ જર્સીના નેવાર્કથી દિલ્હી જવાની હતી, પરંતુ તેને બાર્બાડોસ મોકલવામાં આવી હતી.
![ફ્લાઈટના પેસેન્જરોને પણ રઝળવાની વિપદા આવી: ભારતીય ટીમ માટે પેસેન્જર ફ્લાઇટ રદ: એર ઇન્ડિયાએ ન્યૂજર્સી-દિલ્હી જનાર પ્લેન બાર્બાડોસ મોકલ્યું… ભારતીય](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, આના કારણે નેવાર્ક એરપોર્ટ પર મુસાફરો પરેશાન થયા હતા. T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ટીમ બેરીલ તોફાનને કારણે 3 દિવસ સુધી બાર્બાડોસમાં અટવાઈ ગઈ હતી.
![ફ્લાઈટના પેસેન્જરોને પણ રઝળવાની વિપદા આવી: ભારતીય ટીમ માટે પેસેન્જર ફ્લાઇટ રદ: એર ઇન્ડિયાએ ન્યૂજર્સી-દિલ્હી જનાર પ્લેન બાર્બાડોસ મોકલ્યું… ભારતીય](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
ટીમને એર ઈન્ડિયાની ’ચેમ્પિયન્સ 24 વર્લ્ડ કપ (AIC24WC)’ ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા પરત લાવવામાં આવી રહી છે. ટીમ ગુરુવારે સવારે 5 થી 6 વચ્ચે નવી દિલ્હી પહોંચશે.
![ફ્લાઈટના પેસેન્જરોને પણ રઝળવાની વિપદા આવી: ભારતીય ટીમ માટે પેસેન્જર ફ્લાઇટ રદ: એર ઇન્ડિયાએ ન્યૂજર્સી-દિલ્હી જનાર પ્લેન બાર્બાડોસ મોકલ્યું… ભારતીય](https://saurashtrakranti.com/wp-content/plugins/gumlet/assets/images/pixel.png)
આ અંગે એર ઈંડિયાના એક અધિકારીએ જાણકારી આપી હતી કે બોઈંગ 777 એરક્રાફ્ટને બાર્બાડોસ મોકલવાને કારણે મુસાફરોને કોઈ અસુવિધાનો સામનો કરવો પડ્યો નથી. 2 જુલાઈના રોજ નેવાર્કથી દિલ્હી ફ્લાઇટ માટે ટિકિટ બુક કરાવનારા મોટાભાગના મુસાફરોને અગાઉથી જાણ કરવામાં આવી હતી.
Visit Saurashtra Kranti E-paper here