કચ્છનું નાનું રણ એ એક ક્ષાર કળણ છે જે ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના કચ્છના મોટા રણની બાજુમાં આવેલું છે.ભારતીય ઘુડખર અભયારણ્ય અથવા ઘુડખર અભયારણ્ય એ કચ્છ જિલ્લાના નાના રણમાં આવેલું અભયારણ્ય છે. તે 4954 ચો.કિમી. વિસ્તારમાં ફેલાયેલું ભારતનું સૌથી મોટું અભયારણ્ય છે.આ અભયારણ્ય એ ભારતીય જંગલી ગધેડા એટલે કે ઘુડખરનું વિશ્ર્વનું અંતિમ આશ્રય સ્થળ છે. તેમના સંવર્ધન માટે આ સ્થાનને ભારતીય ઘુડખર અભયારણ્ય જાહેર કરાયું છે.
આ ક્ષેત્ર દુષ્કાળગ્રસ્ત અને અત્યંત શુષ્ક હોવા છતાં જૈવિક વિવિધતાથી સંપન્ન છે. આ ક્ષેત્ર ઘણા સ્થાનીય અને સ્થળાંતર કરનારા જળપક્ષીઓ જેમકે ક્રોંચ, બતક, બગલા, પેલીકન, સૂરખાબ અને જમીન પરના પક્ષીઓ જેમકે ગ્રાઉસ, ફ્રેંકોલીન અને ભારતીય બસ્ટર્ડ જેવા પક્ષીઓનું નિવાસ સ્થાન છે.
આ સ્થળ ઘુડખર સિવાય પણ ઘણા અન્ય સસ્તનો જેમ કે ભારતીય શિયાળ , લાલ શિયાળ કે રણનું શિયાળ અને નિલગાયનું આશ્રયસ્થાન છે. આ ક્ષેત્રને વન વિભાગ દ્વારા જીવાવરણ સંવર્ધન ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યું છે જેમાં ઉષ્ણ કટિબંધીય અને કિનાર પટ્ટીના પ્રદેશના પર્યાવરણનો સમાવેશ થાય છે.
આ ક્ષેત્રને યુનેસ્કોના આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી પરિયોજના માનવ અને જીવાવરણ (ખફક્ષ ફક્ષમ ઇશજ્ઞતાવયયિ-ખઅઇ) હેઠળ સમાવાયું છે. આ પરિયોજના હેઠળ અહીંના જીવાવરણના વૈવિધ્યનું સંવર્ધન, સંશોધન, નિરીક્ષણ અને અવિનાશી વિકાસ યોજના હાથ ધરવામાં આવશે. આ પરિયોજના યુનેસ્કોને મોકલાઈ છે અને તેની સૂચિમાં શામેલ પણ કરાઈ છે.
Visit Saurashtra Kranti E-paper here