દિલ્હીની ફુડ ફેક્ટરીમાં બોઈલર ફાટવાને કારણે થયો અકસ્માત.અકસ્માતમાં 3 લોકોએ જીવ ગુમાવ્યો અને ૬ ઘાયલ લોકોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા
નરેલા સ્થિત ફૂડ ફેક્ટરીમાં આગ અંગે માહિતી આપતાં પોલીસે જણાવ્યું કે આજે સવારે ૩.૩૫ વાગ્યે PCR કોલ આવ્યો હતો. કોલમાં કહેવામાં આવ્યું હતું કે ફેક્ટરીમાં આગ લાગી છે, કોઈના ફસાયા હોવાની કોઈ માહિતી નથી. તપાસ અધિકારી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે સૂકી મગની દાળ બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી અને કેટલાક લોકો અંદર ફસાયા હતા.
ત્યારે ફાયર વિભાગની મદદથી કુલ નવ લોકોને બચાવ્યા હતા અને નરેલાની લ્ણ્ય્ઘ્ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્રણ ઇજાગ્રસ્તો હોસ્પિટલ પહોંચતા જ મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં શ્યામ, પિતા જગદીશ, ઉંમર ૨૪ વર્ષ, રામ સિંહ, પિતા ગિરજા શંકર, બિરપાલ, પિતા રાજારામનો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે કાચો મૂંગ ગેસ બર્નર પર શેકવામાં આવ્યો હતો. પાઈપલાઈનમાં ગેસ લીક થવાને કારણે આગ ફેલાઈ હતી, જેના કારણે કોમ્પ્રેસર વધુ ગરમ થઈ ગયું હતું અને વિસ્ફોટ થયો હતો. સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવી રહ્યો છે અને આગળ તપાસ હાથ ધરાઈ છે.