સાંસદ પૂનમબેન માડમ જીત બાદ તરત જ જગત મંદિર ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશના શરણમાં

સાંસદ પૂનમબેન માડમ જીત બાદ તરત જ જગત મંદિર ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશના શરણમાં
સાંસદ પૂનમબેન માડમ જીત બાદ તરત જ જગત મંદિર ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશના શરણમાં

પૂનમબેન માડમની 2.38 લાખ મતોની લીડથી જીત થઈ: તેઓ સતત ત્રીજી વખત ચુંટાયા

ગઈકાલે દેશભરમાં લોકસભા ચૂંટણીના પરિણામો બહાર આવ્યા. દિવસભર ભારે પરિણામ ને લઇ ભારે ઉત્તેજના રહી હતી. ગુજરાતમાં પણ તમામ 26 બેઠકો પૈકી 25 બેઠકો પર રસાકસી માહોલ રહ્યો હતો. ભાજપે જામનગરમાં પૂનમબેન માડમને ત્રીજી વખત ટીકીટ આપી હતી.

ગઈકાલે જ્યારે મતગણતરી શરૂ થઈ ત્યારે શરૂઆતી ટ્રેન્ડમાં પોસ્ટલ બેલેટમાં કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવિયા પૂનમ માડમથી આગળ હતા. પરંતુ બાદમાં પૂનમબેન માડમે લીડ લેવાનું શરૂ કર્યું.અને તેઓ 2.38 લાખ મતો લીડથી જીત્યા હતા.

પૂનમબેન સતત ત્રીજી ટર્મ માટે સાંસદ તરીકે ચુંટાયા બાદ તેઓ સીધા દ્વારકા જગત મંદિર ખાતે દ્વારકાધીશના દર્શન કરવા પહોંચ્યા હતા. તે સમયે સ્થાનિક આગેવાનોએ તેમનું સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા હતા.તેમજ ત્યારે ત્યાં દેવભૂમિ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક પણ ઉપસ્થિત હતા. શારદાપીઠમાં શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજીના આશીર્વાદ પણ મેળવ્યા હતા.