આયુષ શર્મા ધમાકેદાર ફિલ્મ ‘રૂસલાન’ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મનું પ્રમોશન કરવા માટે તેણે સાત દિવસમાં સાત શહેરની સફર-મુલાકાતનું આયોજન કર્યુ હતું. બૉક્સ ઑફિસ પર હાલમાં ફિલ્મો નથી સારો દેખાવ કરી રહી. તહેવાર હોવા છતાં બે મોટી ફિલ્મોના બિઝનેસમાં ખુબ ઓછો વકરો થયો હતો. આથી આયુષે તેની ‘રૂસલાન’ને પ્રમોટ કરવા માટે દિલ્હી, કલકત્તા, અમદાવાદ, લખનઉ, હૈદરાબાદ, નોએડા અને ઇન્દોરની મુલાકાત લેવાનું નક્કી કર્યુ હતું. ૨૬ એપ્રિલે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મનું પ્રમોશન તેણે શરૂ કરી દીધુ હતું. આયુષે કહ્યું હતું કે મારા માટે ‘રૂસલાન’ ફક્ત એક ઇવેન્ટ નથી, પરંતુ દરેક પ્રકારના લોકો સાથે કનેક્ટ થવાની એક તક છે.
Home Latest