શાહિદ કપૂર આગામી ફિલ્મમાં અશ્વત્થામાની ભૂમિકામાં જોવા મળશે

શાહિદ કપૂર આગામી ફિલ્મમાં અશ્વત્થામાની ભૂમિકામાં જોવા મળશે
શાહિદ કપૂર આગામી ફિલ્મમાં અશ્વત્થામાની ભૂમિકામાં જોવા મળશે

ફિલ્મ અશ્વત્થામા લાંબા સમયથી ચર્ચામાં છે. હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે, ફિલ્મમાં અશ્વત્થામાનો મુખ્ય રોલ શાહિદ કપૂર નિભાવવાનો છે.. આ ફિલ્મનું નિર્માણ વાશુ ભગનાનીનું હશે.સાહિદ કપૂર અને વાસુ ભગનાની મળીને અશ્વત્થામા ધ સાગા કન્ટીન્યુઝ લઇને આવીરહ્યા છે. આ ફિલ્મ વાસુ ભગનાની પ્રોડકશન હાઉસ પૂજા એન્ટરટેઇમેન્ટ બેનર હેઠલ બનાવામાં આવશે. 

શાહિદે ઇન્સ્ટાગ્રામ એકાઉઉન્ટપરથી આ ફિલ્મની ઘોષણા શેર કરી છે. સાથે તેણે લખ્યું છે કે,  આ એક અમર યોદ્ધાની એક વિશાલ કહાની છે. જેને તમે  જોયા વગર રહી શકશો નહીં. 

હાલમાં જ ઓટીટી પ્લેટફોર્મ અમેઝોન પ્રાઇમ વીડિયો ઇન્ડિયાએ એક ઇવેન્ટમાં પોતાની આગામી ફિલ્મ અશ્વત્થામા: ધ સાગા કન્ટીન્યુઝની પણ ઘોષણા કરી છે. આ સાથે એમ પણ કહ્યું છે કે, આ ફિલ્મમાં શાહિદ કપૂર અશ્વત્થામાની ભૂમિકા ભજવશે. 

ઉલ્લેખનીય છે કે,અશ્વત્થામા ફિલ્મ પર લાંબા સમયથી ચર્ચા થઇ રહી છે. ધ ઇર્મોટલ અશ્વત્થામાના નામ પરથી આદિત્ય ધર એક ફિલ્મ બનાવી રહ્યો હતો. પછીથી એવા સમાચાર હતા કે, પ્રોડયુસસે આ ફિલ્મમાંથી નીકળી ગયો હતો. આદિત્ય ધરે ફિલ્મ ૩૭૦ના લોન્ચ પર જ સ્પષ્ટતા કરી દીધી હતી કે ધઇમમોર્ટલ અશ્વત્થામાં  બંધ પડી ગઇ છે.